મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત


SHARE











મોરબી જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત

ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલી તારીખે યોજવાની છે તેના માટે જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જો કે, તા ૨૯ ના રોજ સાંજે છ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યાર બાદ મોરબી જિલ્લામાં આવતી વિધાસભાની ત્રણ બેઠકને અંકે કરવા માટે તડજોડનું રાજકારણ કરવામાં આવશે

મોરબી જીલ્લામાં મોરબી માળીયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા વિધાનસભાની ત્રણ બેઠક આવે છે તેના માટે દરેક રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે જો કે, તા ૧ ના રોજ મતદાન થવાનું છે માટે નિયત કરેલ સમય મર્યાદા પુરા થતાં ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. સમગ્ર મોરબી જિલ્લામાં મતદાન તા. ૧/૧૨ ના રોજ થનાર છે. તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાકે એટલે કે,  તા.૨૯/૧૧ ના સાંજના ૬:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા મોરબી જિલ્લાના મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને આ જાહેરનામામાં જણાવ્યાં અનુસાર ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહી,  યોજશે નહીંસંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહી કે તેવી સભામાં હાજરી આપશે નહી. સિનેમેટોગ્રાફટેલીવિઝનએલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દૃષ્ટિએ જાહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં. કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહીં






Latest News