મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે નશાની હાલતમાં યુવાન એસિડ પી જતાં સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના સનાળા ગામે નશાની હાલતમાં યુવાન એસિડ પી જતાં સારવારમાં ખસેડાયો

મોરબીના સનાળા ગામે રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે નશાની હાલતમાં તે એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈને ગયા છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે રહેતા ખીમજીભાઇ સોલંકીનો દીકરો મયુર (૨૪) એસિડ પી ગયો હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ ખાતે લઈ ગયા છે અને હાલમાં તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે વધુમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને આ બનાવ અંગે મયુરના પિતા ખીમજીભાઈ સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મયુરને નશાની આદત હોય તેણે નશાની હાલતમાં એસિડ પી લીધું હતું અને જ્યારે શરીરમાં બળતરા શરૂ થઈ ત્યારે તેને ખબર પડી કે તે એસિડ પી ગયેલ છે જેથી કરીને તાત્કાલિક હાલમાં સારવાર માટે લઈને આવ્યા છીએ

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ પાસેથી લીલાપર ગામે પ્રકાશનગર સોસાયટીમાં રહેતા જય મોહનભાઈ ચાવડા (૨૨) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે ૩ ડિએચ ૪૯૨૧ લઈને પસાર થતો હતો ત્યારે બાઈક નંબર જીજે ૩૬ એન ૮૩૩૮ ના ચાલકે બેફિકરાઈથી બાઇક ચલાવીને તેનું બાઈક જય ચાવડાના બાઇક સાથે અથડાવ્યું હતું જેથી કરીને જય ચાવડા નીચે પટકાતાં તેને હાથે પગે એને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જીને બાઈક ચાલક ત્યાંથી નાસી ગયો હોય તેની સામે હાલમાં જય ચાવડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News