મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે નશાની હાલતમાં યુવાન એસિડ પી જતાં સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના સનાળા ગામે નશાની હાલતમાં યુવાન એસિડ પી જતાં સારવારમાં ખસેડાયો

મોરબીના સનાળા ગામે રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે નશાની હાલતમાં તે એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈને ગયા છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે રહેતા ખીમજીભાઇ સોલંકીનો દીકરો મયુર (૨૪) એસિડ પી ગયો હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટ ખાતે લઈ ગયા છે અને હાલમાં તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે વધુમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને આ બનાવ અંગે મયુરના પિતા ખીમજીભાઈ સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મયુરને નશાની આદત હોય તેણે નશાની હાલતમાં એસિડ પી લીધું હતું અને જ્યારે શરીરમાં બળતરા શરૂ થઈ ત્યારે તેને ખબર પડી કે તે એસિડ પી ગયેલ છે જેથી કરીને તાત્કાલિક હાલમાં સારવાર માટે લઈને આવ્યા છીએ

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ પાસેથી લીલાપર ગામે પ્રકાશનગર સોસાયટીમાં રહેતા જય મોહનભાઈ ચાવડા (૨૨) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે ૩ ડિએચ ૪૯૨૧ લઈને પસાર થતો હતો ત્યારે બાઈક નંબર જીજે ૩૬ એન ૮૩૩૮ ના ચાલકે બેફિકરાઈથી બાઇક ચલાવીને તેનું બાઈક જય ચાવડાના બાઇક સાથે અથડાવ્યું હતું જેથી કરીને જય ચાવડા નીચે પટકાતાં તેને હાથે પગે એને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જીને બાઈક ચાલક ત્યાંથી નાસી ગયો હોય તેની સામે હાલમાં જય ચાવડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News