મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સમગ્ર શિયાળા દરમ્યાન થનાર આરોગ્યવર્ધક ઉકાળા કેન્દ્રનો પ્રારંભ


SHARE











મોરબીમાં સમગ્ર શિયાળા દરમ્યાન થનાર આરોગ્યવર્ધક ઉકાળા કેન્દ્રનો પ્રારંભ

મોરબીના સેવાભાવી વૈદરાજ કિશોરભાઈ વાંણદ દ્રારા તેમના માતૃ શ્રી સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરાર્ણથે તા.૨૬-૧૧ થી ૨૬-૨ સુધી સવારે ૭ થી ૮ વિજય હેર ડ્રેસર, વંસત પ્લોટ, ચકિયા હનુમાન મંદીર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિનામુલ્ય વિતરણ કરવામાં આવશે.

આ ઉકાળાને દિવ્ય વનસ્પતિમાંથી બનાવવામાં આવેલ છે.આ ઉકાળો ચિકન ગુનીયા, ડેન્યુ, જુની શરદી, તથા તાવ, કોરોના જેવા અસાદય રોગો માટે રામ બાણ ઈલાજ હોય તેથી જાહેર જનતાને લાભ લેવા વૈદરાજ કિશોરભાઈ એમ. દશાડિયા (મો. નંબર ૯૬૨૪૦ ૧૨૪૭૪) દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે શ્રી મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે

મોરબીમાં ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીતના ડાકનાં માણીગરોની ઉપસ્થિતીમાં કાર્યક્રમનું અનેરૂ આયોજન કરાયેલ છે.મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ મંદિર પાસે બિરાજમાન મસ્તાના મામાદેવનુ મોજીલું માંડલું કાર્યક્રમ કાલે તા.૨૩ ને બુધવારના રોજ રાત્રે ૯ કલાકે યોજાશે. કાર્યક્રમમાં ડાકના માણીગર ધર્મેશભાઈ રાવળદેવ (રાજકોટ) સહીતનાં કલાકારો ડાકની રમઝટ બોલાવશે.આ કાર્યક્રમમાં શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News