મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના કોઠી ગામે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આવેલ માલિકીના પ્લોટમાં જેસીબી પાર્ક કરીને રાખ્યું હતું જેથી જેસીબી ત્યાંથી લઈ લેવા માટે કહ્યું હતું જે સારું ન લાગવાથી ત્રણ શખ્સો દ્વારા આધેડને લાકડી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા ઈકબાલભાઈ જમાલભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૫૩) એ હાલમાં સત્તાભાઈ લાખાભાઈ ભરવાડ, નવઘણભાઈ સતાભાઇ ભરવાડ અને સત્તાભાઈ ભરવાડનો દીકરો રહે. બધા કોઠી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કોઠી ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં તેનો પ્લોટ આવેલ છે અને તે પ્લોટમાં આરોપીઓએ તેનું જેસીબી મશીન મૂક્યું હતું જે જેસીબી મશીન લઈ લેવા માટે તેને કહેતા આરોપીઓને તે સારું લાગ્યું ન હતું અને ગાળો આપવા લાગ્યા હતા અને ત્યારબાદ સત્તાભાઈ લાખાભાઈ ભરવાડએ ફરિયાદીને કાન અને વાસાના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને નવઘણભાઈ ભરવાડે તેને લોખંડના પાઇપ વડે પગમાં માર માર્યો હતો અને આ ઉપરાંત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News