મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના કોઠી ગામે માલિકીના પ્લોટમાં પાર્ક કરેલ જેસીબીને લઈ લેવાનું કહેતા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના કોઠી ગામે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં આવેલ માલિકીના પ્લોટમાં જેસીબી પાર્ક કરીને રાખ્યું હતું જેથી જેસીબી ત્યાંથી લઈ લેવા માટે કહ્યું હતું જે સારું ન લાગવાથી ત્રણ શખ્સો દ્વારા આધેડને લાકડી અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા ઈકબાલભાઈ જમાલભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૫૩) એ હાલમાં સત્તાભાઈ લાખાભાઈ ભરવાડ, નવઘણભાઈ સતાભાઇ ભરવાડ અને સત્તાભાઈ ભરવાડનો દીકરો રહે. બધા કોઠી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કોઠી ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં તેનો પ્લોટ આવેલ છે અને તે પ્લોટમાં આરોપીઓએ તેનું જેસીબી મશીન મૂક્યું હતું જે જેસીબી મશીન લઈ લેવા માટે તેને કહેતા આરોપીઓને તે સારું લાગ્યું ન હતું અને ગાળો આપવા લાગ્યા હતા અને ત્યારબાદ સત્તાભાઈ લાખાભાઈ ભરવાડએ ફરિયાદીને કાન અને વાસાના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને નવઘણભાઈ ભરવાડે તેને લોખંડના પાઇપ વડે પગમાં માર માર્યો હતો અને આ ઉપરાંત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News