ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં માથાના ભાગે ડેલો પડતા ઇજાગ્રસ્ત બાળકી રાજકોટ ખસેડાઇ


SHARE











મોરબીમાં માથાના ભાગે ડેલો પડતા ઇજાગ્રસ્ત બાળકી રાજકોટ ખસેડાઇ

મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ ખાડા વિસ્તારમાં રહેતા ભાડાના મકાનમાં રહેતા પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે ઘરનો ડેલો (દરવાજો) માથા ઉપર પડતા ઇજા પામેલ બાળકીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા પરીવારની ભાવના રાજેન્દ્રભાઈ રાવત નામની આઠ વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે તેણીના માથા ઉપર ડેલો (દરવાજો) પડ્યો હતો.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં ભાવનાને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હોય આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે વાંકાનેર હાઇવે ઢુવા ગામની પાસે આવેલ પ્લાઝમા સીરામીક નજીક રહેતા ગૌતમ ઈશ્વરદિન સોનુ નામનો ૨૮ વર્ષનો યુવાન જેતપર રોડ ઉપર આવેલ મનીષ કાંટા પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના શકત શનાળા ગામે રહેતા ઉમેશ કિશોરભાઈ ગુપ્તા નામના ૪૫ વર્ષના યુવાનનો તા.૧-૧૧ ના રોજ વાહન અકસ્માત થવાથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન અમદાવાદ ખાતે ઉમેશ ગુપ્તા નામના યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યાંથી યાદી આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નસીમબેન હુસેનભાઈ ચાવડા નામની ૩૦ વર્ષની મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા આ અંગે તપાસ ચલાવામાં આવી રહી છે. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતો સંદીપ બેચરભાઈ ચાંઉ નામનો યુવાન પોતાનું બાઈક લઈને ઘરેથી પરશુરામ ફાટક તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News