મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેનો ભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો જોકે ફરજ ઉપરના ડોક્ટરે ઝેરી દવા પી ગયેલા યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ થઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ ફાંગલીયા (ઉંમર ૩૮) પોતાની વાડે હતા ત્યારે ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેનો ભાઈ સુરેશભાઈ કરમશીભાઈ ફાંગલિયા રહે. પીપળીયારાજ વાળો તાત્કાલિક તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યો હતો જો કે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને રાજુભાઈ ફાગલીયાને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઈજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક નજીક છરી વડે કરવામાં આવેલ હુમલામાં જીગ્નેશ અમરાભાઇ અને જયેશ અમરાભાઇ નામના બે યુવાનોને ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે માળિયા મીંયાણાના મોટા દહીંસરા ગામના કમળાબેન રમેશભાઈ પાંચિયા નામની ૪૫ વર્ષીય મહિલાને વિશાલ ફર્નિચર પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવારમાં લઈ જવાયા હતા. તેમજ મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અક્ષયગીરી પ્રવીણગીરી ગોસ્વામી નામના ૨૬ વર્ષના યુવાને લક્ષ્મીનગર ગામ પાસે કારમાં બેઠા બેઠા કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે સમર્પણ હોસ્પીટલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News