તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેનો ભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો જોકે ફરજ ઉપરના ડોક્ટરે ઝેરી દવા પી ગયેલા યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ થઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ ફાંગલીયા (ઉંમર ૩૮) પોતાની વાડે હતા ત્યારે ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેનો ભાઈ સુરેશભાઈ કરમશીભાઈ ફાંગલિયા રહે. પીપળીયારાજ વાળો તાત્કાલિક તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યો હતો જો કે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને રાજુભાઈ ફાગલીયાને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઈજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક નજીક છરી વડે કરવામાં આવેલ હુમલામાં જીગ્નેશ અમરાભાઇ અને જયેશ અમરાભાઇ નામના બે યુવાનોને ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે માળિયા મીંયાણાના મોટા દહીંસરા ગામના કમળાબેન રમેશભાઈ પાંચિયા નામની ૪૫ વર્ષીય મહિલાને વિશાલ ફર્નિચર પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવારમાં લઈ જવાયા હતા. તેમજ મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અક્ષયગીરી પ્રવીણગીરી ગોસ્વામી નામના ૨૬ વર્ષના યુવાને લક્ષ્મીનગર ગામ પાસે કારમાં બેઠા બેઠા કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે સમર્પણ હોસ્પીટલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News