મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર


SHARE







“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર

રાજ્ય સરકારે જન્માષ્ટમી શોભાયાત્રામાં ૨૦૦ લોકોની મંજૂરી ઐ છે તો પણ મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા મટકી ફોડની મનાઈ સાથેનું જાહેરનામું બહાર પડ્યું છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ  દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને શહેરમાં અનેક જગ્યાએ “મટકી ફોડ નહિ તો વોટ નહી” ના સૂત્ર સાથે બેનર લગાવવવા આવેલ છે.

મોરબી જિલ્લા કલેકટર દ્વારા ગઇકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં “મટકી ફોડ”ની મનાઈ કરવામાં આવી છે જેથી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને જાહેર માર્ગો ઉપર બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે કે, “ આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળે તો પછી આશીર્વાદ આપવા વાળાની કેમ નહિ ?, અને “મટકી ફોડ નહિ તો વોટ નહિ” ના સૂત્રો સાથેના બેનરો લગાવ્યા છે આમ મટકી ફોડ રદ કરવામાં આવતા હિન્દૂ સમાજની લાગણીને સરકાર કયા સુધી ઠેસ પહોંચાડતી રહેશે તેવો સવાલ ઊભો થયો છે.






Latest News