મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર


SHARE













“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર

રાજ્ય સરકારે જન્માષ્ટમી શોભાયાત્રામાં ૨૦૦ લોકોની મંજૂરી ઐ છે તો પણ મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા મટકી ફોડની મનાઈ સાથેનું જાહેરનામું બહાર પડ્યું છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ  દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને શહેરમાં અનેક જગ્યાએ “મટકી ફોડ નહિ તો વોટ નહી” ના સૂત્ર સાથે બેનર લગાવવવા આવેલ છે.

મોરબી જિલ્લા કલેકટર દ્વારા ગઇકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં “મટકી ફોડ”ની મનાઈ કરવામાં આવી છે જેથી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને જાહેર માર્ગો ઉપર બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે કે, “ આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળે તો પછી આશીર્વાદ આપવા વાળાની કેમ નહિ ?, અને “મટકી ફોડ નહિ તો વોટ નહિ” ના સૂત્રો સાથેના બેનરો લગાવ્યા છે આમ મટકી ફોડ રદ કરવામાં આવતા હિન્દૂ સમાજની લાગણીને સરકાર કયા સુધી ઠેસ પહોંચાડતી રહેશે તેવો સવાલ ઊભો થયો છે.






Latest News