મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપ ફેર વિચારણા નહીં કરે તો આ બેઠક ઉપર ચોકડી મારી દેજો: ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ


SHARE











વાંકાનેર કુવાડવા બેઠક માટે ભાજપ ફેર વિચારણા નહીં કરે તો આ બેઠક ઉપર ચોકડી મારી દેજો: ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યું જેમાં વાંકાનેર કુવાડવા બેઠ ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને સમાજમાં હાલમાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજના લોકો વાંકાનેરમાં દરબાર બોર્ડિંગ ખાતે એકત્રિત થયા હતા અને ભાજપની પ્રદેશ નેતાગીરી વાંકાનેરની ટિકિટ માટે ફરી વિચારણા કરે નહીં તો આ બેઠક ગુમાવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને બીજી બાજુ કેસરીદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી કરવા માટે ફોર્મ પણ ઉપાડયુ હોવાનું રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને ફોર્મ ભરવામાં આવી રહેશે ત્યારે મોરબી જિલ્લાના ત્રણેય બેઠક માટે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં વાંકાનેર કુવાડવા બેઠક માટે જીતુભાઈ સોમાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે જોકે તેનું નામ જાહેર થતાની સાથે હાલમાં રાજપૂત સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને રાજપૂત સમાજના આગેવાનો ગરાસિયા બોર્ડિંગ ખાતે એકત્રિત થયા હતા અને જય ભવાનીના નારા લગાવીને હાલમાં પ્રદેશની નેતાગીરી દ્વારા જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો

ખાસ કરીને ભાજપને વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં મજબૂત બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાની અવગણના કરવામાં આવી છે જેથી કરીને ક્ષત્રિય સમાજના લોકોમાં રોની લાગણી જોવા મળી રહી છે તેની સાથોસાથ આ બેઠક ઉપર કોળી સમાજનું પણ વર્ચસ્વ હોવા છતાં કોળી સમાજના આગેવાનોની પણ અવગણના કરવામાં આવી છે જેથી કરીને તેના માઠા પરિણામો આવશે તેવું ક્ષત્રિય સમાજના રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું અને વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે કેશરિદેવસિંહ ઝાલાએ અપક્ષમાં ઉમેદવારી કરવા માટે ફોર્મ ઉપાડયું છે જોકે ભાજપની પ્રદેશની નેતાગીરી આ ટિકિટ બાબતે ફેર વિચારણા નહીં કરે તો આ બેઠક ઉપર ભાજપે ચોકડી મારી દેવાની રહેશે






Latest News