મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપરનો બનાવ: માતા-પિતાને સાથે રહેવા દેવાની તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા


SHARE











ટંકારાના કલ્યાણપરનો બનાવ: માતા-પિતાને સાથે રહેવા દેવાની તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ કલ્યાણપર ગામે આજે તા.૭ ના વહેલી સવારે ખેતમજુર એવા શ્રમિક દંપતી વચ્ચે નજીવી વાતે થયેલા ઝઘડા બાદ પતિએ પથ્થરના ઘા ઝીંકી દઇને પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે.ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપી પતિ પણ હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દસેક દિવસ પહેલા જ બાળકો સાથે ખેત મજૂરી કરવા આવેલા રાયબેન સુબોભાઈ વસુનીયા નામની પરિણીતાની તેના જ પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા આ હત્યાના બનાવ અંગે મૃતક રાયાબેનના ભાઈ સુમારીયા પારસિંહ માવીએ ટંકારા પોલીસ મથકમાં પોતાના બનેવી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૨ મુજબ ગુન્હો નોંધીને તપાસ ચાલુ કરી છે, જો સુત્રોનું માનીએ તો હત્યાનો આરોપી એવો મૃતક મહીલીનો પતિ પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળેલ છે.






Latest News