ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૮ મી નવેમ્બરે રજાના દિવસે ઉમેદવારી પત્ર મેળવવા-રજૂ કરવાની કામગીરી શરૂ રહેશે


SHARE











મોરબીમાં ૮ મી નવેમ્બરે રજાના દિવસે ઉમેદવારી પત્ર મેળવવા-રજૂ કરવાની કામગીરી શરૂ રહેશે

૫મી નવેમ્બરથી  ૬૫-મોરબી, ૬૬- ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા વિસ્તાર માતે ઉમેદવારી પત્ર મેળવવાની તથા રજૂ કરવાની પ્રકિયા શરૂ કરવામા આવી છે જે ૧૪ નવેમ્બર સુધી ચાલુ રહેનાર છે.

ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારતના ચૂંટણી પંચે વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે નિયત કરેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કા માટે તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાના રહેશે. જાહેર રજાના દિવસો બાદ કરતા બાકીના દિવસોએ સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે.વધુમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ- ૩૩(૧) મુજબ ચૂંટણી અધિકારીશ્રીએ જાહેર રજાના દિવસોએ ઉમેદવારી પત્રો સ્વીકારવાના રહેશે નહીં. અહીં "જાહેર રજા" એટલે કે Negotiable instruments Act,૧૮૮૧ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની "જાહેર રજા" અર્થ માન્ય રહેશે. તા.૦૮/૧૧/૨૦૨૨ના રોજની જાહેર રજા Negotiable instruments Act,૧૮૮૧ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની જાહેર રજાની વ્યાખ્યામાં આવતી ન હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.૨૫/૧૦/૨૦૨૨ના રોજ રજા જાહેર કરવામાં આવી હતી. આ રજાની અવેજીમાં તા.૧૨/૧૧/૨૦૨૨ને શનિવારના રોજ રાજ્ય સરકાર હસ્તકની તમામ કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. તા.૧૨/૧૧/૨૦૨૨ના બીજા શનિવારની રજા ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ Negotiable instruments Act,૧૮૮૧ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની જાહેર રજાની વ્યાખ્યામાં આવતી હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈપણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત રવિવારના દિવસે પણ જાહેર રજાના કારણે કોઈપણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહીં એમ વધુ યાદીમાં જણાવાયું છે.






Latest News