મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સરકારી ખરાબામાં થયેલ દબાણ દૂર કરીને ૬૦ કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવી


SHARE











મોરબીના રવાપર ગામે સરકારી ખરાબામાં થયેલ દબાણ દૂર કરીને ૬૦ કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવી

મોરબીના રવાપર ગામે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેને દૂર કરવા માટે પંચાયત દ્વારા દબાણ કરનારા શખ્સોને દોઢ મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી જો કે, હજુ સુધી સ્થાનિક લોકોએ જાતે તેના દબાણ દૂર કરવામાં આવેલ ના હતું જેથી કરીને પંચાયત અને રેવન્યુ વિભાગ દ્વારા પોલીસનો બંદોબસ્ત રાખીને દબાણ દૂર કરવાનું સહરું કરવામાં આવ્યું હતું અને ૧૦ વીઘા કરતાં વધુનું દબાણ દૂર કરવા માટે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું

મોરબીના રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણાની આગેવાનીમાં થોડા સમય પહેલા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને સરકારી ખરાબાની જમીનમાં થયેલા દબાનોને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી જો કે, ત્યાર બાદ પંચાયત દ્વારા સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને રહેતા નવ જેટલા પરિવારોને નોટિસ આપવામાં આવી હતી અને તેના દબાણો દૂર કરવા માટેની માંગ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી દબાણ કરનારા શખ્સો દ્વારા જાતે દબાણને હટાવવામાં આવ્યું ન હતું જેથી કરીને સરકારી બુલડોઝર સાથે પંચાયતના સરપંચ નિતિનભાઈ ભટાસણા, તલાટિ મંત્રી સંદીપભાઈ દેત્રોજા, મામલતદાર નિખિલભાઈ તેમજ એ ડિવિઝનના પીઆઇ સહિતનો કાફલો સરકારી બુલડોઝર સાથે સ્થળ ઉપર પહોચ્યો હતો અને સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું

વાપરના તલાટિ મંત્રી સંદીપભાઈ દેત્રોજાએ જણાવ્યુ છે કે બહારથી આવેલા માલધારી પરિવારો  સહિતનાઓ દ્વારા પતરાના સેડ અને કાચા-પાકા મકાન બનાવીને દબાણ કરવામાં આવેલ હતા અને સરકારી જમીન પર દબાણ કર્યું હતું જેથી કરીને તેને દૂર કરવા માટે દોઢ મહિના પહેલા પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી જો કે, જે લોકોએ દબાણ કર્યું હતું તેના દ્વારા જાતે દબાણે હટાવવામાં આવ્યું ન હતું જેથી કરીને સરકારી બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર જઈને ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને આ શખ્સો દ્વારા અંદાજે ૧૦ વીઘા કરતાં વધુ જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવામાં આવેલ છે અને અંદાજે એક વીઘા જમીનનો ભાવ હાલમાં ૬ કરોડ રૂપિયા જેટલો છે આમ તંત્ર દ્વારા ૬૦ કરોડની સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણને તોડી પાડવામાં આવેલ છે






Latest News