મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE











મોરબી ઝુલતા પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જોધપર દ્રારા તથા સમસ્ત જોધપર ખારીના ગ્રામજનો સાથે રહીને મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં દુઃખદ મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.તેમજ રામધુનનું આયોજન કરાયેલ છે.જેમાં રવિવારન તા.૩૦-૧૦ ના રોજ ઝૂલતા પુલ હોનારતમાં દિવગત થયેલા આત્માના સ્મરણાર્થે આવતીકાલ મંગળવારને તા.૮-૧૧ ના સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી મોરબીના દરબારગઢ ચોકમાં રામધૂન રાખવામાં આવેલ છે.જેમાં ઉપસ્થિત રહેવા સૌને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.

તેમજ મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ લોકોની આત્માની શાંતિ માટે ક્રાંતિકારી સેના દ્વારા અનોખી રીતે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.જેમા જામદુધઈ ગામની શ્રી રામ ગૌશાળા તથા આમરણ ગૌશાળામાં ગાય માતાને લીલુ ઘાસ આપીને પ્રાર્થના કરી જે લોકો સાથે આ ઘટના બની અને તેના ભોગ બનનારા તમામની આત્માને ભગવાન શાંતિ આપે સાથોસાથે સદગતોના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.






Latest News