હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી ઝુલતા પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE











મોરબી ઝુલતા પુલના હતભાગીઓને શ્રદ્ધાંજલિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જોધપર દ્રારા તથા સમસ્ત જોધપર ખારીના ગ્રામજનો સાથે રહીને મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં દુઃખદ મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.તેમજ રામધુનનું આયોજન કરાયેલ છે.જેમાં રવિવારન તા.૩૦-૧૦ ના રોજ ઝૂલતા પુલ હોનારતમાં દિવગત થયેલા આત્માના સ્મરણાર્થે આવતીકાલ મંગળવારને તા.૮-૧૧ ના સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી મોરબીના દરબારગઢ ચોકમાં રામધૂન રાખવામાં આવેલ છે.જેમાં ઉપસ્થિત રહેવા સૌને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે.

તેમજ મોરબીના ઝૂલતા પુલની ઘટનામાં મૃત્યુ પામેલા ૧૩૫ લોકોની આત્માની શાંતિ માટે ક્રાંતિકારી સેના દ્વારા અનોખી રીતે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.જેમા જામદુધઈ ગામની શ્રી રામ ગૌશાળા તથા આમરણ ગૌશાળામાં ગાય માતાને લીલુ ઘાસ આપીને પ્રાર્થના કરી જે લોકો સાથે આ ઘટના બની અને તેના ભોગ બનનારા તમામની આત્માને ભગવાન શાંતિ આપે સાથોસાથે સદગતોના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.






Latest News