સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદાજુદા ગામે શ્રદ્ધાંજલી અર્પણ: સુન્ની મુસ્લિમ સમાજે જુલૂસ રદ કર્યું


SHARE











મોરબીમા ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને જુદાજુદા ગામે શ્રદ્ધાંજલી અર્પણ: સુન્ની મુસ્લિમ સમાજે જુલૂસ રદ કર્યું

ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે જુદાજુદા સ્થળે કાર્યક્ર્મ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના મોડપર અને રંગપર બેલા ગામે મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટેના કાર્યક્ર્મ હતા તેવી જ રીતે મોરબીમાં સુન્ની મુસ્લિમ  સમાજના લોકોએ જુલૂસ રદ કરીને દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

જશ્ને ઈદ ગૌષે આઝમ કા જુલૂસ રદ
મોરબીમાં સોમવારે ગૌષે આઝમ કી બારગાહ અને ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકો માટે ઈસાલે સવાબ કી મહેફિલ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે ખુરેશી જમાતખાના મતવાવાસ મોરબી ખાતે રાખેલ અને તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો ત્યાં હાજર રહ્યા હતા અને સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ મૃતકોને પાંચ મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઝૂલૂસ રદ કર્યું હતું

ધૂન, ભજન અને મહાપ્રસાદ
મોરબી તાલુકાનાં રંગપર બેલા ગામે આવેલા કેરાળીયા હનુમાનજી મંદિરે ઝૂલતા પુલ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા ૧૩૫ લોકોના આત્માની શાંતિ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે જ ધૂન, ભજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા લોકો હાજર રહ્યા હતા

મોડપર શ્રદ્ધાંજલિ
મોરબીમાં ઝૂલતા પુલ પડવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે મોરબી તાલુકાનાં મોડપર ગામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને સાથે જ રામધૂનનું પણ ગામના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને મોડપર સમસ્ત ગામ વતી શ્રદ્ધાંજલિ સભા અને રામધૂન રાખવામા આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા






Latest News