મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી સિંધી સમાજ ગુરુનાનક જયંતિની ઉજવણી સાદગીથી કરશે: રામાનંદી સમાજ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાશે


SHARE











મોરબી સિંધી સમાજ ગુરુનાનક જયંતિની ઉજવણી સાદગીથી કરશે: રામાનંદી સમાજ દ્વારા સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબી ઝૂલતા પુલની ગોજારી ઘટનામાં ૧૩૫ લોકોના મોતને પગલે મોરબી સિંધી સમાજ દ્વારા આવતીકાલ તા.૮-૧૧ ને મંગળવારના રોજ ગુરૂનાનક જયંતિની ઉજવણીના આયોજનનો રદ કરીને સાદગીપુર્વક ઉજવી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મહાપ્રસાદ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો બંધ રાખવાનું નકકી કરવામાં આવ્યુ છે.

સમસ્ત સિંધી સમાજને જાણ કરવામાં આવેલ છે કે તા.૮ ના દિવસે  શ્રી ગુરુનાનક જયંતિ આવી રહી છે પણ ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો છે.સાથો સાથ તા.૬ ના દિવસે સવારે ધ્વજા રોહણ કરાયેલ અને તા.૮ ના દિવસે પ્રસાદ પણ રદ કર્યો છે જેની સમાજના સર્વે લોકોએ નોંધ લેવી. તા.૮ એ ફકત રાત્રે મંદિરે કીર્તનનું આયોજન કરેલ છે.

રામાનંદી સાધુ સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા સુંદરકાંડના પાઠ યોજાશે

મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા શ્રી આદ્યાચાર્ય જગતગુરુ શ્રી ભગવન્નિમ્બાકાચાયૅજીનો ૫૧૧૮ મા જન્મોત્સવ વિ સં ૨૦૭૯ કાર્તિક સુદ પૂર્ણિમા તા.૮ ને મંગળવારના રોજ આયોજન કરાયું હતું પરંતુ ઝુલતા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને સ્નેહમિલન તેમજ ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે.મોરબી-માળિયા રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા.૮-૧૧ ના રોજ સવારે ૯ કલાકે ગુરુપૂજન, સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને સમયોચિત હરિનામ સંકીર્તન કરાશે અને બપોરે ૨:૩૦ કલાકે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે તેમ રામાનંદી સાધુ સમાજે યાદીમાં જણાવેલ છે.






Latest News