મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી: ચરિત્રની શંકા કરીને પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ


SHARE











મોરબી: ચરિત્રની શંકા કરીને પરિણીતાને શારીરિક ત્રાસ માનસિક આપતા પતિ સહિત ચાર સામે ફરિયાદ

વાંકાનેરના પ્રતાપ ચોક પાસે માવતરના ઘરે રહેતી પરણીતાએ હાલમાં તેના પતિ, સસરા, જેઠ અને જેઠાણી સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ચરિત્રની શંકા કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ માર મારતા હતા તેવી ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં વાંકાનેરના પ્રતાપ ચોક પાસે માવતરના ઘરે રહેતી જલ્પાબેન અશોકભાઈ સોલંકી નામની પરણિતાએ તેના પતિ રામભાઈ બાબુભાઈ ભટ્ટી, સસરા બાબુભાઈ ભગવાનજીભાઈ ભટ્ટી, જેઠ અતુલભાઇ બાબુભાઈ ભટ્ટી અને જેઠાણી વર્ષાબેન અતુલભાઇ ભટ્ટી રહે બધા કોઠારીયા મેન રોડ જુના ગણેશનગર શેરી નં-૬ સતનામ પાર્ક રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે રસોઈ કામ કરવા બાબતે તેમજ ઘરકામ બાબતે નાની-નાની બાબતે મેના ટોણા મારીને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો તેમજ ચરિત્રની શંકા કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો જેથી કરીને પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પતિ સહિત ચાર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.






Latest News