તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જુલતાપૂલની ઘટનામાં પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવો એકત્રિત કરાયા


SHARE











 

મોરબી જુલતાપૂલની ઘટનામાં પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવો એકત્રિત કરાયા

મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યા પછી નોંધાયેલ પોલીસ ફરિયાદના આધારે પોલીસે હાલમાં એક પછી એક મુદાઓની તપાસ કરી રહી છે અને ઓરેવા ગ્રુપ સાથે પાલિકાએ કરાર કરેલ છે જેથી કરીને મોરબી રાજકોટ હાઈવે પર આવેલા ઓરેવા કંપની ખાતે આરોપી દિપક પારેખને સાથે રાખીને પોલીસે તપાસ કરી હતી અને પાલિકા સાથે કંપની દ્વારા વર્ષ ૨૦૦૭ અને ૨૦૨૨ માં જે કરાર કરવામાં આવેલ છે તેની કોપી સહિતના દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ છે તેમજ ફેબ્રિકેશન સહિતના કામ માટે જે એજન્સી સાથે કરાર કરવામાં આવ્યા હતા તેનું પણ સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝૂલતા પુલના રિપેરિંગ કામ માટે કયું મટિરિયલ્સ વાપરવાનું હતું ? ક્યું મટિરિયલ વાપરવામાં આવ્યું છે ? આ પુલના રિપેરિંગ માટેનું મટિરિયલ્સ કોની પાસેથી લેવામાં આવ્યું હતું તેના બિલ  સહિતનું સાહિત્ય કબ્જે લેવામાં આવી રહયું છે આમ પોલીસ દ્વારા આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને એક એક પાસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.






Latest News