તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જીલ્લામાં ઝંડી-પતાકા હટાવી ભીત સૂત્રો ભૂસવાનું શરૂ


SHARE











મોરબી શહેર અને જીલ્લામાં ઝંડી-પતાકા હટાવી ભીત સૂત્રો ભૂસવાનું શરૂ


ગઇકાલે ચૂંટણી પંચ દ્વારા રાજયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગયેલ છે તેની અમલવારી મોરબી શહેર અને જીલ્લામાં શરૂ કરી દેવામાં આવી છે અને મોરબી જીલ્લામાં જુદાજુદા પક્ષના ઝંડી પતાકા હટાવવા માટેની તેમજ ભીત સૂત્રોને ભૂસવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. 

મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યો તેને હજુ પાંચ દિવસ થયા છે ત્યાં રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે જેથી કરીને મોરબી જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આચાર સંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે અને મોરબી શહેર તેમજ જિલ્લામાંથી જુદાજુદા પક્ષના ઝંડી અને પતાકા કાઢવામાં આવી રહ્યા છે અધિકારી પાસેથી મલ્ટી માહિતી મુજબ જિલ્લાભરમાં રાજકીય પક્ષોના બેનરોસૂત્રોહોર્ડિંગ્સ અને ઝંડીઓ ઉતારવાની કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી પાલિકાની જુદીજુદી ટીમો દ્વારા પરાબજારશનાળા રોડરવાપર રોડ તેમજ સામાકાંઠા વિસ્તારોમાં દરેક પક્ષના ઝંડીબેનરહોર્ડિંગ  અને ભીત સૂત્રોને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.






Latest News