મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પુલ ઉપરથી ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE











વાંકાનેરમાં પુલ ઉપરથી ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં સ્ટેચ્યુ ચોક પાસે આવેલા પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં પાંજરાપોળવાળી શેરીમાં રહેતા વ્રજલાલભાઈ કાનજીભાઈ રાઠોડ (૬૫) એ વાંકાનેરના સ્ટેચ્યુ ચેક પાસે આવેલ પુલ ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતકના દીકરા હિતેશભાઈ તેની ડેડબોડીને લઈને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News