મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસેના અકસ્માતમાં ઇજા પામેલા વધુ બેના મોત: મૃત્યુ આંક ૪ થયો


SHARE











માળીયા (મી)ના હરિપર પાસેના અકસ્માતમાં ઇજા પામેલા વધુ બેના મોત: મૃત્યુ આંક ૪ થયો

મોરબીમાંથી પસાર થતાં માળિયા કચ્છ હાઇવે ઉપર આજે વહેલી સવારે હરીપર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં છોટાહાથી અને ખાનગી બસ સામસામે અથડાતા છોટાહાથીમાં જઈ રહેલા મુસાફરોમાંથી ડ્રાઈવર સહિત ૧૦ લોકોને ઇજાઓ થયેલ હતી તેમાંથી ત્રણ મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયેલ છે અને બાળકો સહિત કુલ મળીને છ લોકો હાલમાં સારવાર હેઠળ છે અને પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લાના માળીયા કચ્છ હાઇવે ઉપરથી આજે વહેલી સવારના સમયે કચ્છ બાજુ છોટા હાથી જઈ રહી હતી ત્યારે કચ્છ બાજુથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં છોટા હાથીમાં બેઠેલા ડ્રાઈવર સહિતના ૧૦ લોકોને ઇજા થયેલ હતી જેથી કરીને તેને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે મુસાફરો પૈકી બે મહિલા ચંદાબેન વિપુલભાઈ (૩૦) અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા (૬૯) રહે. બન્ને પીઠડીયાને મૃત જાહેર કર્યા હતા ને બાકીના ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી જો કે, સારવાર દરમ્યાન છોટા હાથીના ડ્રાઈવર દીપકભાઈ મનુભાઈ જિંજવાડીયા (૩૫) તેમજ જીણીબેન છગનભાઇ ગોંડલિયા (૬૦) નું મોત નીપજયું હતું આમ કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયા છે અને વિપુલભાઈ ગિરધારભાઈ ગોંડલિયા (૪૦), પ્રકાશભાઇ મજેઠીયા (૪૮), જેવીલ વિપુલભાઈ (૩), ધીરુભાઈ મૂળજીભાઈ ગોંડલીયા (૫૦), માહિબેન વિપુલભાઈ (૬), મીશ્રીબેન ચેતનભાઈ ગોંડલીયા (૯)ને ઇયજા થયેલ છે માટે તે સારવારમાં છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વીરપુર ગામ પાસે આવેલ પીઠડીયા ગામના રહેવાસી લોકો પીઠડીયાથી છોટાહાથીમાં કચ્છમાં માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા દરમ્યાન વહેલી સવારે આજે જીવલેણ અકસ્માતમાં બનાવ બન્યો છે 






Latest News