ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરે જવાનો સાથે સતત પાંચમા વર્ષે મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા દિવાળીના પર્વની ઉજવણી કરાઇ


SHARE











મોરબી જિલ્લામાં કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રણી અને અગ્રેસર એવી પી.જી પટેલ કોલેજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પર તેનાત સૈનિકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરીને અનોખી રીતે કરવામાં આવે છે. મોરબીની પી.જી. પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈની પ્રેરણાથી આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ આ વર્ષે પણ દિવાળીના મહાપર્વની 'અસ્મિતા પર્વ' તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દિવાળીના દિવસે પણ પોતાના પરિવારથી દૂર રહીને આપણા વીર જવાનો દેશના સીમાડાની રક્ષા કાજે દિવસ-રાત તૈનાત હોય છે. તેમને પારિવારિક હૂંફ અને લાગણીનો અનુભવ થાય, તેમજ તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે શુદ્ધ ઘીના અડદીયા અને નમકીન દિવાળીના દિવસે જ કચ્છ ખાતે આવેલ ભારત-પાકિસ્તાન સરહદે ફરજ બજાવતા આપણા વીર જવાનોને હાથો-હાથ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ભગીરથ કાર્યમાં દર વર્ષની જેમ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સિંહ ફાળો રહ્યો હતો , સાથે સાથે કોલેજ સ્ટાફ, મોરબીના ઉદ્યોગપતિ, મિત્ર વર્તુળ તેમજ અન્ય કોઈ પણ માધ્યમથી મદદ કરનાર તમામ લોકોનો સંશ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News