મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત


SHARE











મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર બોખાની વાડી પાસેથી સાયકલ લઈને પસાર થતા વૃદ્ધની સાયકલને રિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર કપોરીની વાડી માં રહેતા કાંતિભાઈ કરસનભાઈ ડાભી જાતે સતવારા ઉંમર વર્ષ ૩૭ એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૫૩૬ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા બોખાની વાડી પાસેથી પોતાની સાયકલ લઈને જતા હતા ત્યારે ફરિયાદીના પિતા કરશનભાઈ ઉંમર ૭૧ ને સાયકલને રીક્ષા ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં કરસનભાઈ ને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યુ હતુ હાલમાં મૃતક વૃદ્ધના દીકરા કાંતિભાઈએ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વેપારી સામે ગુનો નોંધાયો 

મોરબીના લીલાપર રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં જેલ પાસે ઘાસના વાળા રાખીને ત્યાં આડેધડ ઘાસ નાખતા વેપારીઓ સામે પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ત્રણ જેટલા વેપારીઓ સામે ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે ત્યારે આજે વધુ એક વેપારી સામે આડેધડ ઘાસ નાખીને ટ્રાફિક તથા અકસ્માત સર્જાય તેવી બેદરકારી વેપારી રાજુભાઈ હરખાભાઈ માજુસા જાતે કોળી ઉંમર વર્ષ ૪૦ રહેવા શેરી નંબર દસ વાળા ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે






Latest News