ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત


SHARE











મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર બોખાની વાડી પાસેથી સાયકલ લઈને પસાર થતા વૃદ્ધની સાયકલને રિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર કપોરીની વાડી માં રહેતા કાંતિભાઈ કરસનભાઈ ડાભી જાતે સતવારા ઉંમર વર્ષ ૩૭ એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૫૩૬ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા બોખાની વાડી પાસેથી પોતાની સાયકલ લઈને જતા હતા ત્યારે ફરિયાદીના પિતા કરશનભાઈ ઉંમર ૭૧ ને સાયકલને રીક્ષા ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં કરસનભાઈ ને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યુ હતુ હાલમાં મૃતક વૃદ્ધના દીકરા કાંતિભાઈએ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વેપારી સામે ગુનો નોંધાયો 

મોરબીના લીલાપર રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં જેલ પાસે ઘાસના વાળા રાખીને ત્યાં આડેધડ ઘાસ નાખતા વેપારીઓ સામે પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ત્રણ જેટલા વેપારીઓ સામે ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે ત્યારે આજે વધુ એક વેપારી સામે આડેધડ ઘાસ નાખીને ટ્રાફિક તથા અકસ્માત સર્જાય તેવી બેદરકારી વેપારી રાજુભાઈ હરખાભાઈ માજુસા જાતે કોળી ઉંમર વર્ષ ૪૦ રહેવા શેરી નંબર દસ વાળા ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે






Latest News