તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું


SHARE











મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું

મોરબીના માધાપરા સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતવારા સમાજ નિર્મિત અને સતવારા સમાજ દ્વારા જ સંચાલિત સોનારુરી સ્મશાનગૃહ ખાતે કાળી ચૌદસના દિવસે ત્યાંના સંચાલકો દ્વારા તેમજ બહુચર ગ્રુપ અને મહાકાલ ગૃપ દ્વારા ભજીયા પ્રોગ્રામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમ કરીને કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં ન જવાય તેવા પ્રકારની જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે તેનું ગ્રુપ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.આ ગ્રુપ દ્વારા કાળી ચૌદસના દિવસે સ્મશાન ખાતે ભજીયા બનાવીને ત્યાં ગ્રુપ દ્વારા ભજીયા આરોગવામાં આવ્યા હતા અને સમાજમાં પ્રવર્તી રહેલ ગેર માન્યતાઓને જાણકાર આપવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે સોનાપુરી સ્મશાન સમિતિના પ્રમુખ તેમજ પાલીકાના ચેરમેન હર્ષદભાઈ કણજારીયા, લાલજીભાઈ પરમાર (કાઉન્સિલર), મહાકાલ ગ્રુપના પ્રમુખ વસંતભાઈ પરમાર,.બહુચર ગ્રુપના પ્રમુખ રમેશભાઈ કંજારીયા તેમજ સોનાપુરી સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓ રાજુભાઈ કનજારિયા મોતીભાઈ પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા.






Latest News