મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ


SHARE











મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ

વિશ્વમાં એક માત્ર કહી શકાય તેવો ઝૂલતો પુલ મોરબીમાં આવેલ છે અને તેને રીપેરીંગ માટે બંધ કરેલ હતો જેનું રીપેરીંગ કામ પુરુ થતા તેને આગામી બેસતા વર્ષના દિવસથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેના માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમા ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે મોરબીના ઝૂલતા પુલ વિશેની માહિતી આપી હતી

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષે એટલે કે બેસતાવર્ષના દિવસથી ઝુલતા પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી.






Latest News