તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રબારી પરિવારે ફટાકડા ફોડીને દીકરીના જન્મના પ્રેરણાત્મક વધામણા કર્યા


SHARE











મોરબીના શનાળા ગામે સોમવારે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મોરબીના શનાળા ગામે આવેલ લીમડાવાળા મેલડી મંદિરના પાછળ ઉમિયાનગર સોસાયટીમાં શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા સોમવારના રોજ શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવો રાખવામા આવે લ્ચે જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબીના શનાળા ગામે તા. ૧૭ ને સોમવારે સવારે ૯ વાગ્યે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ વાગ્યે ઉમિયાનગર શનાળા ખાતે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ વાગ્યે ડાક ડમરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભાવેશભાઈ ગજ્જર તથા સાથી ગ્રુપ અને ચાંદલિયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાંદલિયા વાળા મામાદેવ મિત્ર મંડળ-મોરબી, શ્રી લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ-મોરબી અને શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ શકત શનાળા તેમજ પ્રવીણભાઈ બારોટનિમંત્રણ આપ્યું છે

મોરબીમાં રબારી પરિવારે ફટાકડા ફોડીને દીકરીના જન્મના પ્રેરણાત્મક વધામણા કર્યા

વર્તમાન સમયમાં ઘણી વખત દીકરીને સાપનો ભારો સમજીને તરછોડી દેવામાં આવે તે સહિતના બનાવો ઘણી વખત સામે આવતા હોય છે ત્યારે કેટલાક પરિવારો દ્વારા દીકરાના જન્મની ઉજવણી કરવામાં આવતી હોય છે આવી જ રીતે મોરબીના શકત શનાળા ગામના રહેવાસી રબારી જયેશભાઈ કાનાભાઈ કરોતરાએ તેના ઘરે દીકરીનો જન્મ થતાં આતિશબાજી કરીને દીકરીના જન્મને વધાવ્યો હતો ગત તા. ૧૧ ના રોજ જયેશભાઈ અને દક્ષાબેનના ઘરે દીકરી રૂપે લક્ષ્મીજીનું અવતરણ થયું છે ત્યારે કરોતરા પરિવારે દીકરીના જન્મને ઉજવણી કરીને વધાવ્યો છે






Latest News