મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી


SHARE











માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી

નર્મદાની મળિયા કેનાલ હાલમાં ચાલુ જ છે તો પણ મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ નર્મદાની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને હાલમાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આ વાતને સાંભળીને જરાપણ ચોકીજવાની જરૂર નથી કેમ કે, નર્મદાની માળીયા કેનાલમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરેલ છે અને જો પાણી નહિ છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

નર્મદાની કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી આવે તો જ માળિયા તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં જે વાવણી કરવામાં આવી છે તે પાકને બચાવી શકાય તેમ છે જેથી કરીને વારંવાર રજૂઆતો પાણી છોડવા માટે કરવામાં આવી રહી છે તો પણ કેનાલમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા નર્મદાની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અને છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી સિચાઈ માટે ખેડૂતોને પાણી મળે તે જરૂરી છે નહીં તો ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ અને તલ સહિતના પાક નિષ્ફળ જાય તેમ છે અને જો પાણી સમયસર નહિ આપવામાં આવે તો આગમી દિવસોમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News