મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી


SHARE











માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી

નર્મદાની મળિયા કેનાલ હાલમાં ચાલુ જ છે તો પણ મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ નર્મદાની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને હાલમાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આ વાતને સાંભળીને જરાપણ ચોકીજવાની જરૂર નથી કેમ કે, નર્મદાની માળીયા કેનાલમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરેલ છે અને જો પાણી નહિ છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

નર્મદાની કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી આવે તો જ માળિયા તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં જે વાવણી કરવામાં આવી છે તે પાકને બચાવી શકાય તેમ છે જેથી કરીને વારંવાર રજૂઆતો પાણી છોડવા માટે કરવામાં આવી રહી છે તો પણ કેનાલમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા નર્મદાની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અને છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી સિચાઈ માટે ખેડૂતોને પાણી મળે તે જરૂરી છે નહીં તો ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ અને તલ સહિતના પાક નિષ્ફળ જાય તેમ છે અને જો પાણી સમયસર નહિ આપવામાં આવે તો આગમી દિવસોમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News