મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી


SHARE







માળિયા (મી) તાલુકામાં આવતી નર્મદા કેનાલમાં પાણી છોડવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગ: આંદોલનની ચીમકી

નર્મદાની મળિયા કેનાલ હાલમાં ચાલુ જ છે તો પણ મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ નર્મદાની કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને હાલમાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આ વાતને સાંભળીને જરાપણ ચોકીજવાની જરૂર નથી કેમ કે, નર્મદાની માળીયા કેનાલમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે તાત્કાલિક પાણી છોડવાની માંગ કરેલ છે અને જો પાણી નહિ છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

નર્મદાની કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી આવે તો જ માળિયા તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં જે વાવણી કરવામાં આવી છે તે પાકને બચાવી શકાય તેમ છે જેથી કરીને વારંવાર રજૂઆતો પાણી છોડવા માટે કરવામાં આવી રહી છે તો પણ કેનાલમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા નર્મદાની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અને છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી સિચાઈ માટે ખેડૂતોને પાણી મળે તે જરૂરી છે નહીં તો ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ અને તલ સહિતના પાક નિષ્ફળ જાય તેમ છે અને જો પાણી સમયસર નહિ આપવામાં આવે તો આગમી દિવસોમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News