મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરૂવારે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાશે


SHARE







મોરબીમાં ગુરૂવારે કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા યોજાશે

સોમનાથથી લઈને સૂઇ ગામ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બુધવારે રાતે આ યાત્રા મોરબી આવી જશે અને ગુરૂવારે સવારે મોરબી યુવા અને જિલ્લા કોંગ્રેસનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ સુધી બાઈક રેલી યોજાશે

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જુદાજુદા પક્ષ દ્વારા યાત્રાઓ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સોમનાથથી લઈને સૂઇગામ સુધી યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં પરીવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૩ ના રોજ સવારે ૯ વાગ્યે ભક્તિનગર સર્કલથી મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોને હાજર રહેવા માટે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયાએ જણાવ્યુ છે






Latest News