મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદા ત્રણેય કેનાલમાં પાણી છોડાવવા સીએમને રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં આવતી નર્મદા ત્રણેય કેનાલમાં પાણી છોડાવવા સીએમને રજૂઆત

મોરબી જીલ્લામાં નર્મદા ત્રણ કેનાલ આવી રહી છે જો કે, હાલમાં ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે આ કેનાલમાં પાણી આવી રહ્યું નથી જેથી કરીને આ ત્રણે બ્રાંચમાં ખરીફ સીઝન માટે પાણી આપવામાં આવે તેવી સીએમને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે

મોરબી જીલ્લામાં અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ગયેલો છે. તે જગ્યાએ નવો પાક વાવવાનો છે. તો અમુક જગ્યાએ જે પાક બચી જવા પામેલ છે. તેને હાલમાં પાણીની જરૂરિયાત છે જો કે, નર્મદની કેનાલમાં હાલમાં પણી આવી રહ્યું નથી જેથી કરીને ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે નર્મદા ડેમમાં પુષ્કળ પાણીનો જથ્થો છે અને ડેમ ઓવરફલો થયેલ છે તો ખેડૂતો માટે તાત્કાલિક પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ સાથે સીએમને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે વધુમાં તેને જણાવ્યુ છે કે, નર્મદાની કેનાલોમાં ફક્ત ધ્રાંગધ્રા તથા અમુક હળવદના ગામોના ખેડૂતોને બાદ કરતા મોરબી જીલ્લાના માળિયા તથા મોરબી તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું નથી જેથી કરીને કેનાલની ફૂલ કેપેસિટી મુજબનું પાણી કેનાલમાં છોડવામાં આવશે તો જ છેવાડાના ગામના ખેડૂતોને કેનાલમાંથી પાણી મળી શકે તેમ છે અને અધિકારીને બેદરકારીના લીધે ઘણી જગ્યાએ બકનળીઓ મૂકીને પાણીનો બગાડ કરવામાં આવે છે. તેને પણ રોકવામાં આવે તે જરૂરી છે અને સિંચાઇ માટેનું પાણી ૧૦ દિવસમાં નહિ મળે તો ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જાય તેમ છે. ત્યારે પાકને બચાવવા માટે પાણી ન છોડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

શહેરની સફાઈ માટેની સીએમને રજૂઆત

ચાલુ સાલે ચોમાસામાં અતીવૃષ્ટિથી લોકોએ ખુબજ પરેશાની ભોગવેલ છે. હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલ છે. જેનો કોઈ નીકાલ  કરવામાં આવેલ નથી. આવી જ રીતે મોરબી શહેરમાં ઠેર ઠેર ગંદગી ફેલાયેલી છે. તેમજ  કચરાના ઢગલાઓ પડેલ છે. જેથી કરીને મચ્છર તેમજ અન્ય જીવજંતુઓનો ત્રાસ વધેલો છે. અને શહેરમાં મચ્છર  તેમજ પાણી જન્ય રોગોચાળો ફેલાયેલ છે. ત્યારે ડેન્ગ્યું, મલેરિયા, ટાઈફોડ, ઝાડા, ઉલ્ટી વગેરે પ્રકારના  રોગોના કેસ વધી રહ્યા છે જેથી મોરબીની જનતાને આ નર્ક જેવી પરિસ્થિતિમાંથી ઉગારવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને રજૂઆત કરી છે






Latest News