મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

વાંકાને૨માં લક્ષ્મીપરાથી કોલેજ સુધીના ભંગાર રસ્તાને રીપેર કરવા માટે સ્થાનિકોએ કરી રજૂઆત


SHARE











વાંકાને૨માં લક્ષ્મીપરાથી કોલેજ સુધીના ભંગાર રસ્તાને રીપેર કરવા માટે સ્થાનિકોએ કરી રજૂઆત

વાંકાનેર શહેરના લોકોને લક્ષ્મીપરાથી લઈને કોલેજ સુધી જવાનો રસ્તો માથાના દુખાવા સમાન છે અને છેલ્લા પાંચ વર્ષથી આ રોડ બીસ્માર હાલત છે જેથી કરીને લોકોના આરોગ્યને તેમજ તેઓના વાહનોને ભારે નુકશાન થઈ રહ્યું છે આ રોડ ઉપર હાલમાં કયાય ડામર કે સીમેન્ટનુ નામોનીશાન જોવા મળી રહ્યું નથી જેથી કરીને સતત ધૂળની ડમરીઓ ઊડતી હોય છે શહે૨નો આ મુખ્ય રસ્તો હોવાથી ત્યાંથી સરકારી વાહનો જેવા કે એસ.ટી. બસ, એમ્બયુલન્સ વિગેરે તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના વાહનોની અવર જવર વધારે રહેતી હોય છે આટલું જ નહીં કોર્ટ, પ્રાંત અધિકારીની કચેરી અને પોલીસ સ્ટેશને અવર જવર કરતાં વાહનો આ રોડેથી જ પસાર થતાં હોય છે તો પણ રોડને કેમ રીપેર કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે આ રસ્તો તાત્કાલીક ધોરણે રીપેર કરી યોગ્ય કરવામા નહી આવે તો ભવિષ્યમાં લોકોને તેમજ તેઓના વહોને વધુ નુકશાન થાય તેવી શકયતા છે માટે જે ઓથોરીટીની અન્ડરમા આ રોડ આવતો હોય આવતો હોય તેને તાત્કાલીક ધોરણે રોડ રીપેર થાય અને યોગ્ય થાય તેવી કામગીરી કરવા માટેની માંગ કરવામાં આવી છે






Latest News