મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત: આંદોલનની ચીમકી


SHARE











મોરબી ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈને કલેક્ટરને રજૂઆત: આંદોલનની ચીમકી

ગુજરાતમાં ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા વર્ષોથી પડતર પ્રશ્નો બાબતે અવારનવાર સરકારને મૌખીક તેમજ લેખીત રજુઆતો કરવામાં આવી છે તો પણ આજ દિન સુધી કોઈ પણ પ્રતિસાદ મળ્યો નથી જેથી ગત તા.૫/૧૦ સુધીની સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું તો પણ કોઈ પ્રતિસાદ નહી મળતા તા.૬/૧૦ થી ગુજરાત ભરમાંથી સાધુ સંતો પ્રતિક ઉપવાસ માટે ઉપવાસ છાવણી (સત્યાગ્રહ છાવણી) ગાંધીનગર ખાતે એકત્ર થયેલ હતા અને ત્યાર બાદ ગુજરાતનાં મહેસૂલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંધવીએ બે વખત મિટિંગ માટે આગેવાનો બોલાવ્યા હતા અને તે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આગામી તા.૧૩/૧૦ નાં રોજ પ્રતિનિધી મંડળને મુલાકાતનો સમય આપેલ છે જે મુલાકાત આખરી તથા સુઃખદ ૨હે તેમજ સાધુ સમાજના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી આગેવાનો અપેક્ષા રાખી રહ્યા છે અને જો સાધુ સમાજના હીતમાં કોઈ ઠોસ નિર્ણય નહી લેવામાં આવે તો ગુજરાત સાધુ સમાજ દ્વારા ગ્રામ્ય કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી ધરણાપ્રદર્શન તથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે વધુમાં મોરબી ત્રિપાંખ સાધુ સમાજના આગેવાન ગુલાબગીરીએ જણાવ્યુ હતું કેવર્ષો પહેલા દિવેલિય માટે સાધુ સંતોને જમીનો આપવામાં આવી છે જો કેતેઓને ખેડૂત ગણવામાં આવતા નથી જેથી કરીને તેઓએને ખેડૂત ગણવામાં આવે તે સહિતની માંગણીઓ સરકાર સમક્ષ હાલમાં મૂકવામાં આવી છે






Latest News