મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઇ


SHARE







મોરબીની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની તેમજ નવરાત્રી મહોત્સવ ઉજવણી કરાઇ

ગત શનિવારને તા. ૮-૧૦ ના રોજ મોરબીના ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રાથમિક શાળાના ૭૦ માં સ્થાપનાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પાયાના પથ્થર અને ગામના મોટા ભાગના લોકોએ જેમની પાસે અભ્યાસ કરેલ છે તેમજ સજનપર ગામમાં જેનું ગૌરવભેર નામ લઈ શકાય એવા મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જસમતભાઈ ભેંસદડિયા તેમજ સજનપર શાળાના જ ભૂતપૂર્વ કર્મનિષ્ઠ શિક્ષિકા દમયંતિબેન તરફથી શાળાના તમામ બાળકોને જમાડવામાં આવ્યા હતા.તેમજ જસમતભાઈ ભેંસદડિયા દ્વારા શ્રી સજનપર શાળાના ઇતિહાસ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી.આ સાથે શાળમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી.જેમાં વિવિધ પ્રકારના ઇનામો પણ જસમતભાઇ તરફથી આપવામાં આવ્યા જેમાં ધો.૧ અને ધો.૨ માટે વેલ ડ્રેસ- કુમાર અને કન્યા બંને માટે, ધો. ૩ થી ૫ માં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ અને ધો. ૬ થી ૮ માં વેલ ડ્રેસ, પ્રિન્સ, પ્રિન્સેસ જેવા ઇનામો રાખેલ હતા.જે બદલ શાળા પરિવાર દ્વારા જસમતભાઇ ભેંસદડીયાનું શાલથી સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ગામના સરપંચ રીનાબેન જાદવ, એસએમસીના અધ્યક્ષ નંદલાલભાઈ રૈયાણી તેમજ સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી જે બદલ ગામના સરપંચ એ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે.






Latest News