મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલુ ભર્યુ


SHARE











મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને અંતિમ પગલુ ભર્યુ

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ કેવલ મિનરલના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેવલ મિનરલ નામના કારખાનાના લેબર ક્વોટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રાહુલ મેઘાભાઈ મુનિયા (ઉંમર ૨૪) નામનો યુવાન તેના લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર તેણે પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક રાહુલ મુનિયાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આપઘાતના આ બનાવની આગળની તપાસ એ.એસ.આઇ. જે.પી. કણસાગરા ચલાવી રહ્યા છે

હાર્ટ એટેકથી મોત

મૂળ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના રહેવાસી અને હાલમાં પાડાપુલ નીચે ઝૂંપડામાં રહેતા ગૌરીબેન ભરતભાઈ જખાણીયા (ઉંમર ૩૫) પોતાના ઝૂપડામાં રાત્રે સુઈ ગયા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે જગાડવા છતાં નહીં જાગતા તેનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હોય તેના મૃતદેહને પીએમ માટે તેના પતિ ભરતભાઈ અબાભાઈ જખાણીયા (ઉંમર ૩૭) મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News