મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ


SHARE







મોરબી-માળિયામાં નર્મદા કેનાલમાથી ખેડૂતોને સિચાઈનું પાણી આપવા અજય લોરીયાની માંગ

મોરબી જીલ્લામાં સંતોષકારક વરસાદ પડ્યો નથી અને હલમ વરસાદ ખેંચાયો છે ત્યારે નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોના ખેડૂતોને કેનાલમાંથી પાણી આપવા માટે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનની આગેવાનીમાં ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે


મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાની આગેવાનીમાં મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે મોરબી માળિયા તાલુકામાં નર્મદાની કેનાલ આવેલ છે જો કે, તેના કમાન્ડ વિસ્તારના ગામોમાં હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકને બચાવવા માટે નર્મદની કેનાલમાથી પાણી આપવામાં આવે તે અનિવાર્ય છે ત્યારે નર્મદા કેનાલમાંથી ખેડૂતોને સિચાઈ માટેનું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News