મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મીયાણાના વીર વિદરકા ગામે આવેલ માતાજીના મંદિર પાસે અગાઉ વેચેલ કળબના પૈસાની વૃદ્ધે માંગણી કરી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા શખ્સ દ્વારા તેઓને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ બે શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના પંચવટી (ખીરઈ) ગામના રહેવાસી ભુદરભાઈ કાનજીભાઈ સુરાણી જાતે પટેલ (ઉંમર ૬૦) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ મલાભાઇ ભરવાડ તથા ઘોઘાભાઈ મલાભાઇ ભરવાડ રહે બંને વીરવિદરકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ અગાઉ રાજુભાઈ ભરવાડને વેચાતી કળબ આપી હતી જેના પૈસા લેવાના બાકી હોય પૈસાની માંગણી તેઓએ કરી હતી જે રાજુભાઈ ભરવાડને સારું નહીં લાગતા રાજુભાઈ ભરવાડ તથા ઘોઘાભાઈ ભરવાડ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભુદરભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા રાજુભાઈ ભરવાડે તેના હાથમાં પહેરેલ કળું ફરિયાદી વૃદ્ધને માથામાં માર્યું હતું અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભૂદરભાઈ કાનજીભાઈ સુરાણીએ રાજુભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ ભરવાડ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News