મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











માળીયા (મી)માં વેચાતી આપેલ ક્ળબના બાકી રહેલા રૂપિયાની માંગણી કરતાં વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

માળીયા મીયાણાના વીર વિદરકા ગામે આવેલ માતાજીના મંદિર પાસે અગાઉ વેચેલ કળબના પૈસાની વૃદ્ધે માંગણી કરી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા શખ્સ દ્વારા તેઓને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ બે શખ્સોએ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના પંચવટી (ખીરઈ) ગામના રહેવાસી ભુદરભાઈ કાનજીભાઈ સુરાણી જાતે પટેલ (ઉંમર ૬૦) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ મલાભાઇ ભરવાડ તથા ઘોઘાભાઈ મલાભાઇ ભરવાડ રહે બંને વીરવિદરકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ અગાઉ રાજુભાઈ ભરવાડને વેચાતી કળબ આપી હતી જેના પૈસા લેવાના બાકી હોય પૈસાની માંગણી તેઓએ કરી હતી જે રાજુભાઈ ભરવાડને સારું નહીં લાગતા રાજુભાઈ ભરવાડ તથા ઘોઘાભાઈ ભરવાડ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભુદરભાઈએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા રાજુભાઈ ભરવાડે તેના હાથમાં પહેરેલ કળું ફરિયાદી વૃદ્ધને માથામાં માર્યું હતું અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભૂદરભાઈ કાનજીભાઈ સુરાણીએ રાજુભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ ભરવાડ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News