મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની સંકલ્પ નવરાત્રીના આયોજકની ટીમની કામગીરીને ડો. જયંતિભાઈ ભાડેશિયાએ બિરદાવી


SHARE











મોરબીની સંકલ્પ નવરાત્રીના આયોજકની ટીમની કામગીરીને ડો. જયંતિભાઈ ભાડેશિયાએ બિરદાવી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરએસએસના અગ્રણી ડો. જયંતિભાઈ ભાડેશિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા સહિતના આગેવાનો આવ્યા હતા ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને આગેવાનોએ બિરદાવી હતી

મોરબીમાં છેલ્લા ૧૪ વર્ષથી માતાજીની ભક્તિની સાથે અર્વાચીન રાસોત્સવનું આયોજન યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું લીલાપર- કેનાલ રોડે કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામા આવી છે જેથી કરીને મહિલાઓ સહિતના ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. દરમ્યાન આરઆરએસના પશ્ચિમ વિભાગના સર સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેશિયા, શિશુમંદિર મોરબીના મુખ્ય વ્યવસ્થાપક જયતિભાઈ રાજકોટિયા, ઇન્ડિયન મેડિકલ એસો. પ્રમુખ ડો. વિજયભાઈ ગઢિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, રિશીપભાઈ કૈલા, દેવાભાઇ અવાડિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ, મુકેશભાઇ ગામી, કે.ડી.બાવરવા, અશ્વિનભાઈ વીડજા, ડો. લતાબહેન ગઢિયા, કમલેશભાઈ કંટારિયા તથા પત્રકાર અતુલભાઈ જોષી, પ્રવીણભાઈ વ્યાસ, જીગ્નેશ ભટ્ટ, મહેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા ત્યારે ડો. જયંતિભાઈ ભાડેશિયાએ યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી






Latest News