મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના શાંતિનગરમાં ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લગતા પરિણીતાનું મોત


SHARE







વાંકાનેરના શાંતિનગરમાં ઘરે ઈલેક્ટ્રીક શોર્ટ લગતા પરિણીતાનું મોત

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં રહેતી પરિણીતા પોતાના ઘરે પાણીની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા માટે ગઈ હતી ત્યારે તેને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારની અંદર આવેલ શાંતિનગરમાં રહેતા સંજયભાઈ રંગપરાના પત્ની કોમલબેન (૨૨) પોતાના ઘરે હતા ત્યારે ઘરમાં પાણીની ઈલેક્ટ્રીક મોટર શરૂ કરવા માટે ગયા હતા ત્યારે તેઓને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એએસઆઈ નારણભાઈ સુખાભાઈ લાવડીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક કોમલબેન રંગપરા પોતાના ઘરે હતા ત્યારે ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે તેનું મોત નીપજ્યું છે અને મૃતક મહિલાને સંતાનમાં ત્રણ વર્ષની એક દીકરી છે






Latest News