મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી માળીયાના ૧૩ ગામના રસ્તા ૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા


SHARE











મોરબી માળીયાના ૧૩ ગામના રસ્તા ૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર માટે જુદાજુદા રસ્તાઓની જરૂરીયા હતી જુથી કરીને માર્ગ અને મકાન વિભાગની સ્થાની કકચેરીમાં તેની રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્ય ઈજનેર સાથે સતત પરામર્શ કરી દરખાસ્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૯.૩૦ કરોડના ખર્ચે ૧૩ ગ્રામ્ય રસ્તાઓ મંજુર કરવામાં આવેલ છે

મોરબી માળીયાની ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજામોરબી અને માળીયા તાલુકામા જુદાજુદા ૧૩ રસ્તાના કામ માટે સ્થાનિક અધિકારીને રજૂઆત કરી હતી જેમાં નેશનલ હાઈવેથી સાદુળકા, મોરબી જેતપર સ્ટેટ હાઈવેથી મોરબી હળવદ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો, નેશનલ હાઈવેથી પીલુડી રોડ, નેશનલ હાઈવેથી મધુપુર એપ્રોચ રોડ, ભક્તિનગરથી કેનાલ રોડ, 6)રંગપરથી શનાળા(ત) રોડ, વવાણીયા બાયપાસ રોડ (ચમનપર ચોકડીથી વર્ષામેડી ચોકડી રોડ), ચમનપર જોઈનીંગ ટૂ વવાણીયા-બગસરા રોડ, મોટા દહિંસરાથી ખીરસરા(સ્ટેટ હાઈવે સુધી) રોડ, મોટા દહિંસરના વિવેકાનંદ રેલ્વે ફાટકથી બુધિયાસરી મેલડી માતાજીના મંદિર સુધીનો રસ્તો, કુંભારીયા ગામે કેનાલથી શીતળા માતાના મંદીર સુધીનો રસ્તો, જીકીયાળીથી ઘોડા(ધ્રોઈ) ડેમ સુધીનો રસ્તો, અને રાજકોટ મોરબી સ્ટેટ હાઇવેથી નવયુગ સંકુલ રોડ સુધીનો રસ્તો ખાસ કિસ્સામાં મંજુર કરાવેલ છે જેના માટે રાજયકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા(પંચાલ)ને રજૂઆત કરતાં ૧૯.૩૦ કરોડના રસ્તાઓ મંજુર કરાવવામાં બ્રિજેશ મેરજાને સફળતા મળી છે. રસ્તાના કામ સિવાય સિંચાઈ, વિજળી, ઉધોગ, પાણી પુરવઠા સહિત મોરબી શહેરના અનેક કામો માટે મંત્રી સતત જહેમત ઉઠાવતા રહે છે.






Latest News