મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે શાળાના બે શિક્ષકોનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો


SHARE







ટંકારાના વીરપર ગામે શાળાના બે શિક્ષકોનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

ટંકારા તાલુકાના વિરપર ગામે પ્રાથમિક શાળાના બે શિક્ષકનો વિરપર ગામે વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહનું આયોજન વિરપર ગ્રામ પંચાયત અને શાળા પરીવાર અને સમસ્ત ગામ દ્વારા કરવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકાના વીરપર ગામે પ્રાથમિક શાળામાં થયેલા ૧૫ વર્ષથી શિક્ષણ કાર્ય કરનારા શિક્ષક જસમતભાઈ ભેંસદડીયા અને ૨૬ વર્ષથી કાર્યરત રહેલા બહેન દમયંતીબેન એમ. પટેલની ગામની શાળામાં કામગીરીને બિરદાવવા માટે તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એન.વીડજા, મુખ્ય મહેમાન મામલતદાર  કેતનભાઇ સખીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન કામરીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુમલ, મદદની તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઈ ભીમાણી, તેમજ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ચાવડા હાજર રહ્યા હતા. અને નિવૃત થયેલા બને શિક્ષકોનું સન્માન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરીવાર તેમજ વિરપર ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ લવજીભાઈ લીખીયા, ઉપસરપંચ મંજુલાબેન અજરામ મુંદડીયા, સદસ્ય પ્રહલાદસિંહ હરુભા જાડેજા, રાજેશભાઈ સવજીભાઈ બાવરવા,સંગીતાબેન પ્રભુભાઈ બાવરવા, અલ્પાબેન મેહુલભાઈ લીખીયા, ઊર્મિબેન હર્ષદભાઈ ભુંભરીયા, મયુરભાઈ જયંતીલાલ ચાવડા, તલાટી કમ મંત્રી એ. એમ. દેત્રોજા જેહમત ઉઠાવી હતિ.






Latest News