મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE











મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે ટકાતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સમાં ૧૧ માં માળેથી નીચે ટકાતા જા પામેલ મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજયું છે જેથી અકસ્માત મૃતયુના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સની બાંધકામ સાઈટ ઉપર હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ૧૧ માં માળ ઉપરથી હિતેશભાઈ અર્જુનસિંહ ચૌહાણ જાતે રાજપુત (ઉંમર ૨૬) રહે હાલ એલઇ કોલેજ રોડ મૂળ રહે ચલાલી કાલોલ પંચમહાલ વાળો નીચે ટકાયો હતો જેથી કરીને તેને માથામાં હેમરેજ અને શરીરે ગંભીરિજા થઈ હોવાથી તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રાત્રીના ૧૧ માં માળે તે આંટા મારતો હતો ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા તે ઉપરથી નીચે ટકાતા તેનું મોત નીપજયું છે અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

માતાને માર માર્યો

મોરબી નજીકના ખાનપર ગામે રહેતા સરોજબેન પ્રેમજીભાઈ પીપળીયા (ઉંમર ૪૦) તેઓના ઘરે હતા ત્યારે તેને તેના દીકરાએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા સરોજબેન પીપળીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે બાઈક લઈને પસાર થઈ રહેલ મનોજભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૪૧) રહે. મોરબી સબ જેલ સામે વાળાનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મનોજભાઈ સોલંકીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News