તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE











મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે ટકાતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સમાં ૧૧ માં માળેથી નીચે ટકાતા જા પામેલ મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજયું છે જેથી અકસ્માત મૃતયુના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સની બાંધકામ સાઈટ ઉપર હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ૧૧ માં માળ ઉપરથી હિતેશભાઈ અર્જુનસિંહ ચૌહાણ જાતે રાજપુત (ઉંમર ૨૬) રહે હાલ એલઇ કોલેજ રોડ મૂળ રહે ચલાલી કાલોલ પંચમહાલ વાળો નીચે ટકાયો હતો જેથી કરીને તેને માથામાં હેમરેજ અને શરીરે ગંભીરિજા થઈ હોવાથી તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રાત્રીના ૧૧ માં માળે તે આંટા મારતો હતો ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા તે ઉપરથી નીચે ટકાતા તેનું મોત નીપજયું છે અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

માતાને માર માર્યો

મોરબી નજીકના ખાનપર ગામે રહેતા સરોજબેન પ્રેમજીભાઈ પીપળીયા (ઉંમર ૪૦) તેઓના ઘરે હતા ત્યારે તેને તેના દીકરાએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા સરોજબેન પીપળીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે બાઈક લઈને પસાર થઈ રહેલ મનોજભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૪૧) રહે. મોરબી સબ જેલ સામે વાળાનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મનોજભાઈ સોલંકીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News