મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશન સહિત સ્વચ્છ નીર દિવસ નિમિત્તે વિવિધ સ્ટેશનો પર પાણીની શુદ્ધતાની ચકાસણી


SHARE







વાંકાનેર રેલ્વે સ્ટેશન સહિત સ્વચ્છ નીર દિવસ નિમિત્તે વિવિધ સ્ટેશનો પર પાણીની શુદ્ધતાની ચકાસણી

રાજકોટ ડિવિઝન દ્વારા 16મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર, 2022 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે આ પખવાડિયા દરમિયાન તેમના પરિસરને સુંદર બનાવવા માટે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે માહિતી આપી હતી કે, પખવાડિયાના દસમા દિવસને 'સ્વચ્છ નીર દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. અભિયાન હેઠળ, પાણીની ટાંકીઓ, ફિલ્ટર પ્લાન્ટ, પાણી પુરવઠા સાથેના વેઇટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ અને સ્ટેશનો પર ઉપલબ્ધ પાણીની શુદ્ધતાની ચકાસણી કરવામાં આવી હતી. સ્ટેશન પરના કેટરિંગ સ્ટોલ પર વેચાણ માટે ઉપલબ્ધ પાણીની કલોરીનની માત્રા અને કાયદેસરતાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાક સ્ટેશનો પર આધુનિક મશીનો દ્વારા હાઈડ્રેન્ટ ની સફાઈ કરવામાં આવી હતી. આ સાથે સફાઈ કામદારોને હાઈડ્રેન્ટ પાઈપોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને તેની જાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર વગેરે સ્ટેશનો પર પ્લેટફોર્મ વોટર સ્ટેન્ડ અને વોટર કુલરમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને ક્લોરીન ની માત્ર ચકાસવા માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝન તેના મુસાફરોને સ્વચ્છ અને પીવાલાયક પાણી આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.






Latest News