મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસેથી મળેલ લાશની ઓળખ મળી: હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા 


SHARE







મોરબીના બંધુનગર પાસેથી મળેલ લાશની ઓળખ મળી: હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા 

મોરબીના બંધુનગર ગામ પાસેથી શનિવારે સાંજના સમયે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ હતો અને આ મૃતક યુવાનની હાલમાં ઓળખ થયેલ છે અને તેના પરિવારજનો પણ મોરબી આવી ગયા હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવમાં હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બંધુનગર નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનાના ગેઇટ પાસેથી અજાણ્યા યુવાન પુરુષની લાશ મળી હતી જેથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહને સિવિલે ખસેડીને  મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં તાલુકા પીએસઆઈ અજમેરી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિનું નામ મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભર જાતે આદિવાસી (૨૯) રહે, હાલ મોરબી મૂળ ઋણજી ગામ પેટલાવાદ, જાંબવા એમપી વાળો હોવાનું સામે આવ્યું છે અને તેના પરિવારજનો હાલમાં મોરબી આવી ગયેલ છે વધુમાં અધિકારીએ એવું પણ જણાવ્યુ છે મૃતક વ્યક્તિને મુંઢ માર મરવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને આ બનાવમાં હત્યાનો ગુનો નોંધાઈ તેવી શક્યતા છે






Latest News