મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની આવકમાંથી શહીદ પરિવારોને કરાશે આર્થિક સહાય


SHARE











મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની આવકમાંથી શહીદ પરિવારોને કરાશે આર્થિક સહાય

સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડમાં પત્રકાર પરિષદ રાખવામા આવી હતી અને ત્યારે આયોજકોએ જણાવ્યુ હતુ કે, આ આયોજનથી થનાર આવકમાંથી શહીદ પરિવારોને સહાય, મનોદિવ્યાંગ બાળકોની શાળાને બસ સહિતના સેવા કર્યા કરવામાં આવશે

મોરબીના રવાપર ગામે નવજીવન(ન્યુએરા) સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મમાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના સ્થાપક અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી આ ગ્રૂપ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને તેમાંથી થતી આવક ગૌસેવામાં વાપરવામાં આવે છે જો કે, આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા દેશની રક્ષા કરતા શહીદ વીર જવાનોના પરિવારને મદદ કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે

અંગે પત્રકાર પરિષદ યોજીને અજય લોરીયાએ જણાવ્યુ હતું કે, આ વકતે નવરાત્રી મહોત્સવમાં ભારતના ખ્યાતનામ ઇન્ડિયન આઇડોલ વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સારેગમપ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયાની ટીમને બોલાવવામાં આવી છે અને તેના સૂરના તાલે લોકો ગરબે ઘૂમશે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ વર્ષે નફાની આવકમાંથી દેશની રક્ષા કરતા શહીદ વીર જવાનોના પરિવારને મદદ કરવામાં આવશે, શનાળા રોડ ઉપર શહીદોની પ્રતિમા સાથેનું સર્કલ બનાવવામાં આવશે તેમજ મનોદિવ્યાંગ બાળકોની શાળાને બસ આપવામાં આવશે વધુમાં અજય લોરીયાએ જણાવ્યુ હતું કે, સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં ૭૫ જેટલા સહિત પરિવારોને દોઢ કરોડ જેટલી રકમની સહાય કરવામાં આવી છે. 






Latest News