મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રીએ દરગાહ મુદે કલેક્ટરને વધુ એક પત્ર લખીને કરી સ્પષ્ટતા


SHARE











મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રીએ દરગાહ મુદે કલેક્ટરને વધુ એક પત્ર લખીને કરી સ્પષ્ટતા

મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી દ્વારા માળીયાના વવાણિયા ગામે સરકારી જમીન દરગાહને આપવા માટે પત્ર લખ્યો હતો જો કે, તેના લીધે હિન્દુ સંગઠનો નારાજ થયા હતા અને સોશિયલ મીડિયામાં ધમાસાણ શરૂ થઈ ગયું હતું દરમ્યાન મંત્રીએ આજે વધુ એક પત્ર કલેક્ટરને લખીને તેઓએ અગાઉ કરેલ લેખિત રજૂઆત રદ કરવી અને કોઇની લાગણી દુભાવવાનો તેમનો લેસ માત્ર ઇરાદો ન હતો તેવી સ્પષ્ટતા કરેલ છે

મોરબીના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ સ્પષ્ટતા કરી છે કે, વવાણિયા ગામે દરગાહ માટે જમીન આપવા બાબતે આ ગામના વતની અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભાભાઈ જાડેજાએ રજૂઆત કરેલી હતી તે રજૂઆતને કલેક્ટરને માત્ર મોકલેલ હતી અને આ બાબતે કલેક્ટરને ક્યારેય રૂબરૂ, ફોન કે બેઠક રાખીને સૂચના આપી નથી એટલું જ નહીં તેમણે અગાઉ લખેલો પત્ર પાછો ખેંચી લીધો છે અને કલેક્ટરને સ્પષ્ટ જણાવ્યુ છે કે, આ બાબતની અગાઉની મારી લેખિત રજૂઆત રદ કરવી. સ્વભાવિક જાહેર જીવનમાં ધારાસભ્ય હોય કે મંત્રી હોય કોઈપણ રજૂઆત આવતી હોય તો સંબંધીતોને તબદીલ કરાતી હોય છે આ કિસ્સામાં પણ તેઓને મળેલ રજૂઆત માત્ર તબદીલ કરેલ છે તેમાં કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી . એટલે ગેરસમજણ ન થાય તે માટે આ સ્પષ્ટતા મંત્રી દ્વારા કરવામાં આવી છે અને આમાં કોઇની લાગણી દુભાવવાનો મારે લેસ માત્ર ઇરાદો ન હતો તેવું પણ મંત્રીએ ખુલાસો કરતાં જણાવ્યુ છે અને વિશેષ ગેરસમજણ ન ફેલાય તે માટે આ ચોખવટ કરવી તેઓ દ્વારા કરવામાં આવી છે






Latest News