મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડીના કુવામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







ટંકારાના નસીતપર ગામે વાડીના કુવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના નસીતપર ગામે વાડીએ કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા દીપકભાઈ ગુમાનસિંહ ભુરીયા જાતે આદિવાસી (ઉંમર ૩૭) ટંકારા તાલુકાના નસીતપર ગામે મહેશભાઈ ભગવાનજીભાઈ રંગપરિયાની વાડીએ હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર તે વાડીએ કુવાના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઇન્દ્રોડી ગામનો રહેવાસી સુરેશભાઈ પોલાભાઈ સિંધવ નામનો ૨૩ વર્ષનો યુવાન મોરબીથી ઘાંટીલા જતો હતો ત્યારે રસ્તામાં વેજલપર ગામના પાવર હાઉસ પાસે તેના બાઇકની આડે અચાનક કૂતરું આડું ઉતરતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાઓ થવાથી સુરેશભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણાના નવા ગામે રહેતો ધનજીભાઈ કાનજીભાઈ ધામેચા નામનો યુવાન બાઈક લઈને રણજીતગઢ તરફ જતો હતો ત્યારે રસ્તામાં રણજીતગઢ ગામના પાટીયા પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ મોરબીના સબ જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મણીબેન રાજેશભાઈ પરમાર નામના ૪૭ વર્ષીય મહિલા પગપાળા જતા હતા ત્યારે તેઓ બાઈક સાથે અથડાતા ઇજાઓ થતા મણીબેનને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિજયનગર નજીક આવેલ નવલખી પોર્ટના ક્વાર્ટરમાં રહેતા તૈયબભાઈ હુસેનભાઇ સુમરા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઈક લઈને ભાવપરથી બગસરા જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક હોંકળામાં સેવાળાના લીધે સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તૈયબભાઈ સુમરાને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા






Latest News