મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડીના કુવામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











ટંકારાના નસીતપર ગામે વાડીના કુવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના નસીતપર ગામે વાડીએ કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા દીપકભાઈ ગુમાનસિંહ ભુરીયા જાતે આદિવાસી (ઉંમર ૩૭) ટંકારા તાલુકાના નસીતપર ગામે મહેશભાઈ ભગવાનજીભાઈ રંગપરિયાની વાડીએ હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર તે વાડીએ કુવાના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઇન્દ્રોડી ગામનો રહેવાસી સુરેશભાઈ પોલાભાઈ સિંધવ નામનો ૨૩ વર્ષનો યુવાન મોરબીથી ઘાંટીલા જતો હતો ત્યારે રસ્તામાં વેજલપર ગામના પાવર હાઉસ પાસે તેના બાઇકની આડે અચાનક કૂતરું આડું ઉતરતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાઓ થવાથી સુરેશભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણાના નવા ગામે રહેતો ધનજીભાઈ કાનજીભાઈ ધામેચા નામનો યુવાન બાઈક લઈને રણજીતગઢ તરફ જતો હતો ત્યારે રસ્તામાં રણજીતગઢ ગામના પાટીયા પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ મોરબીના સબ જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મણીબેન રાજેશભાઈ પરમાર નામના ૪૭ વર્ષીય મહિલા પગપાળા જતા હતા ત્યારે તેઓ બાઈક સાથે અથડાતા ઇજાઓ થતા મણીબેનને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિજયનગર નજીક આવેલ નવલખી પોર્ટના ક્વાર્ટરમાં રહેતા તૈયબભાઈ હુસેનભાઇ સુમરા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઈક લઈને ભાવપરથી બગસરા જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક હોંકળામાં સેવાળાના લીધે સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તૈયબભાઈ સુમરાને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા






Latest News