મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળિયાના જસાપર ગામે શોટ લાગતા વૃદ્ધા અને સુરજબારી નજીક કેરોસીન પી જતા યુવાનને સારવારમાં ખસેડાયા


SHARE













માળિયાના જસાપર ગામે શોટ લાગતા વૃદ્ધા અને સુરજબારી નજીક કેરોસીન પી જતા યુવાનને સારવારમાં ખસેડાયા

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધાને તેમજ સુરજબારીના પુલ નજીક ભૂલથી કેરોસીન પી ગયેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકામાં આવેલા જસાપર ગામે રહેતા લાભુબેન ગોવિંદભાઈ હુંબલ નામના ૭૦ વર્ષના વૃદ્ધાને તેઓના ઘેર ઈલેક્ટ્રીક શોટ લાગવાથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા તાલુકાના સુરજબારી પુલ નજીક રહેતા રજાક સુલેમાન જેડા નામનો ૩૫ વર્ષનો યુવાન કેરોસીન પી જતા તેને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બંને બનાવો અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ હાથ ધરતા ખુલ્યું હતું કે રજાકભાઈ જેડા માછીમારીનું કામકાજ કરતા હોય અને હોળીમાં નળી વડે કેરોસીન ખેંચતા સમયે કેરોસીન પીવાઇ ગયું હતું જેથી અસર થતા તેમને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.

વૃદ્ધનું મોત

મોરબીના સેન્ટમેરી ફાટક નજીક લાયન્સનગરમાં રહેતા અને મોરબીના ભડીયાદ રોડ ખાતે આવેલ મિલેનિયમ સીરામીકમાં સિક્યુરિટી મેન તરીકે કામ કરતા નટુભાઈ લક્ષ્મણભાઈ ગોહેલ જાતે રજપુત નામના ૬૫ વર્ષીય વૃદ્ધ ગઈકાલે સિક્યુરિટી મેન તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાનમાં રાત્રિ દરમિયાન તેમનું બેભાન હાલતમાં મોત નીપજયુ હતું.જેથી તેમના ભત્રીજા મેહુલભાઈએ તેમના મૃતદેહને અત્રે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા તપાસ કરવામાં આવતા હાર્ટ એટેકના લીધે નટુભાઈ ગોહેલનું મોત નીપજયુ હોવાનું ખુલ્યું હતું.

મારામારીમાં ઈજા

મોરબીના રફાડેશ્વર ગામે આવેલ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા નિલેશ કિશનભાઇ સોલંકી નામના ૩૭ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા રાજીવકુમાર ઉપેન્દ્રપ્રસાદસિંહ નામનો ૪૨ વર્ષનો યુવાન ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા નરસીભાઈ ભલાભાઇ ભંખોડીયા નામનો ૪૦ વર્ષનો યુવાન તેના ઘેર ફિનાઈલ પી જતાં તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો જે અંગે તાલુકા પોલીસ નથકના મનીષભાઈ બારૈયા તપાસ ચલાવી રહ્યા છે






Latest News