મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના કેરાળી પાસેથી અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી: હત્યાની આશંકા


SHARE











મોરબીના કેરાળી પાસેથી અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી: હત્યાની આશંકા

મોરબી તાલુકાના કેરાળી ગામ પાસેથી અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે જેથી કરીને તેના મૃતદેહને પ્રથમ પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે લાશને રાજકોટ ખાતે મોકલવામાં આવી છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના કેરાળી ગામ પાસે અજાણ્યા વ્યક્તિની સળગાવેલી હાલતમાં લાશ પડી હોવાની માહિતી મળી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર. ગોઢાણીયા તેમજ સ્ટાફના માણસો  ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ત્યારબાદ મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાશને લઈ જવામાં આવી છે વધુમાં પીઆઇ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક વ્યક્તિની હત્યા કરવામાં આવી હોય તેવી હાલમાં શક્યતા દેખાઈ રહી છે જો કે, પીએમ રિપોર્ટ આવ્યા પછી તે અંગે સ્પષ્ટ કહી શકાશે. જોકે મૃતક વ્યક્તિ કોણ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે 






Latest News