મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈનો અનોખો સંકલ્પ


SHARE











વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈનો અનોખો સંકલ્પ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજરોજ જન્મદિવસ હોય દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે અને ગાય માતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને દીર્ઘાયુ માટે મળે તેવી શુભ ભાવના સાથે તેઓએ ગાય અને ગૌવંશોને ૭૨ ટન સુખડીનો પ્રસાદ આપવા માટેનો સંકલ્પ કર્યો છે અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૨ મો જન્મદિવસ છે ત્યારે સમગ્ર ભારત દેશમાં દરેક શહેર, જિલ્લા અને ગામડાઓ સુધી તેના જન્મદિવસની સેવાકીય કામ કરીને તેમજ કેક કટીંગ કરીને જુદી જુદી રીતે ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિત્તે ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આજે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ગાયો માટે સુખડી બનાવવા માટેની કામગીરી સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવી રહી છે અને દરરોજ ત્રણથી પાંચ ટન જેટલી સુખડીનો પ્રસાદ બનાવીને ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયો અને ગૌવંશોને આપવામાં આવશે ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ પણ ગાય માતાના નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ મળે તેવી શુભ ભાવના સાથે ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

#narendrmodi #gujaratbjp #morbibjp #morbitoday






Latest News