મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ


SHARE













માળીયા (મી)ના મોટા ભેલા ગામે શંકર ભગવાનની મુર્તિ ખંડિત કરનાર શખ્સની ધરપકડ

માળીયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ સ્મશાનમાં મૂકવામાં આવેલ શંકર ભગવાનની મૂર્તિને ગામના જ આ એક શખ્સ દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ભગવાનની મૂર્તિને ખંડિત કરનારા શખ્સની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હસમુખભાઈ રવજીભાઈ શેરસીયા જાતે પટેલ (ઉમર ૫૦)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ જીવણભાઈ સોમાણી રહે. મોટાભેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓના દાદાએ મોટાભેલા ગામના સ્મશાનમાં શંકર ભગવાનની મૂર્તિને મુકાવી હતી અને તે મૂર્તિને આરોપી ભરતભાઈ સોમાણી દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેથી કરીને ફરિયાદી હસમુખભાઈ તથા ગ્રામજનોની લાગણી દુબઈ હોય તેઓએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ સોમાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ નં. ૨૯૫ મુજબ ગુનો નોંધીને આરોપી ભરતભાઈ જીવણભાઈ સોમાણી ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે. #morbitoday






Latest News