મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની આંગડિયા લૂંટના ગુનામાં વધુ એક આરોપીને બાબરા પોલીસે દબોચ્યો : બે આરોપીને પકડવા માટે તજવીજ


SHARE











મોરબીની આંગડિયા લૂંટના ગુનામાં વધુ એક આરોપીને બાબરા પોલીસે દબોચ્યો : બે આરોપીને પકડવા માટે તજવીજ

મોરબીના દલવાડી સર્કલ પાસેથી આંગડિયાના રોકડા ૧.૧૯ કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી આ ગુનામાં અગાઉ પોલીસે છ આરોપીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ત્રણ શ્ખ્સોના નામ સામે આવ્યા હતા જે પૈકીનાં એક આરોપીને ઝપી લેવામાં આવેલ છે અને બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે.

મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીમાં રાજકોટ શાખામાંથી  તા ૩૧/૩ ના રોજ સવારે પાર્સલ મોકલાવવામાં આવ્યા હતા તે સોમનાથ ટ્રાવેલ્સમાં દલવાડી સર્કલે આવ્યા હતા અને વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ આવીને હુમલો કર્યો હતો અને રોકડા ૧.૧૯ કરોડ રૂપિયા લૂંટીને નાશી ગયા હતા જેની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી તે ગુનામાં પોલીસે અગાઉ મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ, સવસીભાઇ હકાભાઈ ગરંભડિયા, સુરેશ મથુરભાઇ ગરંભડિયા, પંકજ કેશા ગરંભડિયા, અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણ અને ઈમરાન અલ્લરખા ચૌહાણ પકડાય હતા જેની પાસેથી ત્રણ શ્ખ્સોના નામ સામે આવ્યા હતા જેમાં વનરાજ ઉર્ફે રવિ જાદવભાઇ રંગપરા જાતે કોળી, દેવાયત ખેંગારભાઇ મંદોરીયા જાતે દેવીપુજક અને કાળુ ખેંગારભાઇ મંદોરીયા જાતે દેવીપુજક રહે. ત્રણેય કસવાડી તાલુકો સાયલા જીલ્લો સુરેન્દ્રનગર વાળાના નામ સામે આવ્યા હતા જેમાંથી પ્રભાત ઉર્ફે કાળુ ખેંગારભાઇ મંદોરીયા જાતે દેવીપુજક (૨૧) રહે. કસવાડી તાલુકો સાયલા જીલ્લો સુરેન્દ્રનગર વાળાને બાબરા પોલીસે ધરપકડ કરી હતી અને તે આરોપીને મોરબી પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસે તેને રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે અને બાકીના બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News