તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાં વીજળી પડતા ૧૦ ભેંસના મોત


SHARE











મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાં વીજળી પડતા ૧૦ ભેંસના મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં વરૂડી માતાના મંદિર પાસે જાહેર ખરાબામાં બાંધવામાં આવેલ દસેક જેટલી ભેંસ ઉપર વરસાદી વીજળી પડતા ૧૦ ભેંસોના મોત નીપજયા હતા.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વાલાભાઈ રાજુભાઈ રાઠોડ જાતે ભરવાડ (ઉમર ૩૮) ધંધો માલધારી રહે.મોરબી નવલખી રોડ રેલ્વે કોલોની પાસે મફતપરા વિસ્તારવાળાએ જાહેરાત કરી જણાવ્યું હતું કે તા.૧૨-૯ ના રોજ સાંજના છેએક વાગ્યાના અરસામાં ઊંચી માંડલ ગામની સીમા વરૂડી માતાના મંદિરની પાસેના ખરાબમાં તેઓની તેમજ અન્ય સાહેદોની ભેંસો બાંધવામાં આવી હતી અને ભેંસ દોહવાનું કામ ચાલુ હતું તે દરમિયાન વરસાદી વીજળી પડવાના લીધે દસેક જેટલી ભેંસ કે જે દરેકની ભેંસની કિંમત એકાદ લાખ જેવી થાય તે દશ ભેંસના મોત નિપજયા હતા અને હાલ વેટરનરી ડોક્ટર દ્વારા મૃત ભેંસોના પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી કરવામાં આવેલ અને આ અંગે આગળ તપાસ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

નવસારીના મહારાજા સામાદેવી રોડ હિમાલયા કોમ્પ્લેક્ષ નજીક રહેતા સુમિત્રાબેન કમલેશભાઈ અઘેરા નામની ૪૦ વર્ષની મહિલા મોરબી તાલુકાના ચાંચાપર અને ખાનપર ગામની વચ્ચે બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાનમાં બાઈક સ્લીપ થઈ જતા તેઓના જમણા હાથે ઇજા થતાં તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા યુનુસભાઈ કાસમભાઇ સુમરા નામનો ૪૨ વર્ષનો યુવાન પોતાના ઘરેથી નવલખી પોર્ટ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક પણ સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત થયેલા યુનુસભાઈ સુમરાને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News