મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાં વીજળી પડતા ૧૦ ભેંસના મોત


SHARE











મોરબીના ઊંચી માંડલ ગામની સીમમાં વીજળી પડતા ૧૦ ભેંસના મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં વરૂડી માતાના મંદિર પાસે જાહેર ખરાબામાં બાંધવામાં આવેલ દસેક જેટલી ભેંસ ઉપર વરસાદી વીજળી પડતા ૧૦ ભેંસોના મોત નીપજયા હતા.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વાલાભાઈ રાજુભાઈ રાઠોડ જાતે ભરવાડ (ઉમર ૩૮) ધંધો માલધારી રહે.મોરબી નવલખી રોડ રેલ્વે કોલોની પાસે મફતપરા વિસ્તારવાળાએ જાહેરાત કરી જણાવ્યું હતું કે તા.૧૨-૯ ના રોજ સાંજના છેએક વાગ્યાના અરસામાં ઊંચી માંડલ ગામની સીમા વરૂડી માતાના મંદિરની પાસેના ખરાબમાં તેઓની તેમજ અન્ય સાહેદોની ભેંસો બાંધવામાં આવી હતી અને ભેંસ દોહવાનું કામ ચાલુ હતું તે દરમિયાન વરસાદી વીજળી પડવાના લીધે દસેક જેટલી ભેંસ કે જે દરેકની ભેંસની કિંમત એકાદ લાખ જેવી થાય તે દશ ભેંસના મોત નિપજયા હતા અને હાલ વેટરનરી ડોક્ટર દ્વારા મૃત ભેંસોના પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી કરવામાં આવેલ અને આ અંગે આગળ તપાસ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

નવસારીના મહારાજા સામાદેવી રોડ હિમાલયા કોમ્પ્લેક્ષ નજીક રહેતા સુમિત્રાબેન કમલેશભાઈ અઘેરા નામની ૪૦ વર્ષની મહિલા મોરબી તાલુકાના ચાંચાપર અને ખાનપર ગામની વચ્ચે બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાનમાં બાઈક સ્લીપ થઈ જતા તેઓના જમણા હાથે ઇજા થતાં તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા યુનુસભાઈ કાસમભાઇ સુમરા નામનો ૪૨ વર્ષનો યુવાન પોતાના ઘરેથી નવલખી પોર્ટ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક પણ સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત થયેલા યુનુસભાઈ સુમરાને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News