મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયામાં પંચાયતનું મીટર બદલાવવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને બે શખ્સોએ મારમાર્યો


SHARE







હળવદના નવા દેવળીયામાં પંચાયતનું મીટર બદલાવવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને બે શખ્સોએ મારમાર્યો

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે પંચાયતનું મીટર બદલાવવા માટે ગયેલા વીજ કંપનીના કર્મચારીને ગામના બે શખ્સો દ્વારા અમારું કામ કેમ નથી કરતા તેવું કહીને ગાળો આપવામાં આવી હતી અને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી રાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વીજ કંપનીના કર્મચારી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારા મારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અરવલ્લી જિલ્લાના રહેવાસી અને હાલમાં ચરાડવા એસબીઆઇ બેન્ક વાળી શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ સુરમાભાઈ રોત જાતે હિન્દુ આદિવાસી (ઉંમર ૩૨) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ ભગવાનભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ રહે. બંને નવા દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ ચરાડવા પીજીવીસીએલમાં ફરજ બજાવે છે અને તેની ફરજ ના ભાગરૂપે નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસનું મીટર બદલાવા માટે થઈને ગયા હતા ત્યારે પંચાયત ઓફિસ બંધ હતી અને સરપંચના મોબાઈલ નંબર તેની પાસે ન હોય તેમણે આરોપી મનસુખભાઈ અને મહેશભાઈ પાસે સરપંચના નંબર માંગ્યા હતા અને ત્યારબાદ તે લોકોએ વીજ કંપનીના જવાબદાર અધિકારી સાથે ફોનમાં વાત કરી હતી અને ભોગ બનેલ મહેન્દ્રભાઈ કશું સમજે ત્યારે પહેલા ગાળો આપીને બંને શખ્સો દ્વારા તેને ઢિકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારે અમારું કામ કેમ નથી કરતા તેવું કહીને તેને માર મારીને જાનથી મારી નાખવાની આરોપીઓએ ધમકી આપી હતી જેથી ભોગ બનેલા મહેન્દ્રભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારામારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News