મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયામાં પંચાયતનું મીટર બદલાવવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને બે શખ્સોએ મારમાર્યો


SHARE











હળવદના નવા દેવળીયામાં પંચાયતનું મીટર બદલાવવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને બે શખ્સોએ મારમાર્યો

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે પંચાયતનું મીટર બદલાવવા માટે ગયેલા વીજ કંપનીના કર્મચારીને ગામના બે શખ્સો દ્વારા અમારું કામ કેમ નથી કરતા તેવું કહીને ગાળો આપવામાં આવી હતી અને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી રાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વીજ કંપનીના કર્મચારી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારા મારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અરવલ્લી જિલ્લાના રહેવાસી અને હાલમાં ચરાડવા એસબીઆઇ બેન્ક વાળી શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ સુરમાભાઈ રોત જાતે હિન્દુ આદિવાસી (ઉંમર ૩૨) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ ભગવાનભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ રહે. બંને નવા દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ ચરાડવા પીજીવીસીએલમાં ફરજ બજાવે છે અને તેની ફરજ ના ભાગરૂપે નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસનું મીટર બદલાવા માટે થઈને ગયા હતા ત્યારે પંચાયત ઓફિસ બંધ હતી અને સરપંચના મોબાઈલ નંબર તેની પાસે ન હોય તેમણે આરોપી મનસુખભાઈ અને મહેશભાઈ પાસે સરપંચના નંબર માંગ્યા હતા અને ત્યારબાદ તે લોકોએ વીજ કંપનીના જવાબદાર અધિકારી સાથે ફોનમાં વાત કરી હતી અને ભોગ બનેલ મહેન્દ્રભાઈ કશું સમજે ત્યારે પહેલા ગાળો આપીને બંને શખ્સો દ્વારા તેને ઢિકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારે અમારું કામ કેમ નથી કરતા તેવું કહીને તેને માર મારીને જાનથી મારી નાખવાની આરોપીઓએ ધમકી આપી હતી જેથી ભોગ બનેલા મહેન્દ્રભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારામારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News